SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ છે અને તેનેા ઉપયાગ કરતાં અહિંસાવાદી જેનાને પણ જરા પણ્ પ્રક પ થતા જોવામાં આવતા નથી. યુરોપ, અમેરિકા જતા અનેક શાકાહારી કુટુંબના વિદ્યાથી આ માટા ભાગે માંસાહારી બનીને પાછા ફરે છે. સંપ્રદાયી મટવું અને કોસ્મોપોલીટન' બનવુ એટલે નિરામિષ આહાર છેડીને માંસાહારી થવું અને દૂધ છેડીને દારુ પીતા થવુ’–આવી સમજણના ભાગ બનતા આપણા વિશાળ સમાજના અનેક યુ` નજરે પડે છે. આવા પ્રતિકૂળ વાતાવરણ અને હિંસાપ્રચુર પરિસ્થિતિ વચ્ચે નિરામિષ આહારની તતુડી કાણ સાંભળવાનુ` હતુ` એવી નિરાશા મન અનુભવે છે. એમ છતાં પણ ખીજી બાજુએ અહિંસાનેા વિચાર આજના જગતમાં ઝડપભેર ફેલાઈ રહ્યો છે. સમાજહિતચિન્તકે અહિંસાની પરિભાષામાં જીવનના પ્રશ્નો । વિચાર કરવા લાગ્યા છે. કોઈ પણ કાળે કાઈ પણ સયાગામાં નિરામિષ આહારના સ્વીકાર સિવાય અહિંસાની સાધના અધૂરી જ રહેવાની છે—આવી જેની શ્રદ્ધા અને પ્રતીતિ છે તેણે નિરામિષ આહારનું મહત્ત્વ માથા ઉપર ઝુમી રહેલા પ્રલયમાંથી બચવુ' હશે તે અહિંસાલક્ષી બનવુ જ રહ્યું. એ રીતે જ્યારે દુનિયાને દૃષ્ટિકોણ બદલાશે, અહિંસાના ધેારણે પોતાના આચાર વિચારવામાં તે પરિવર્તન કરવા માંડશે ત્યારે એક એવા પણ દિવસ જરૂર આવશે કે જ્યારે તેને માત્ર દલિત, પીડિત માનવીઓને જ નહિ પણ કાપતાં ચીરાતાં પશુઓને પોકાર પણ સંભળાશે અને માંસ ખાવું એ માનવીસભ્યતાના ઈનકાર કરવા બરાબર છે એ પરમ સત્યને તે સ્વીકાર કરશે. એ દિવસ આવશે ત્યારે નિરામિષ આહાર વિશાળ માનવસમાજને સ્વાભાવિક આહાર બનશે અને એ રીતે માનવી સભ્યતાનું એક અગત્યનું સીમાચિહ્ન સર થયું લેખાશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy