SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ સિવાય ચાલે તેમ નથી કે, આજનો જીવનપ્રવાહ નિરામિષ આહારને ભારે પ્રતિકૂળ બનતું જાય છે. કતલખાનામાં કપાતા જાનવરોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જ જાય છે જે તાકાતવાળા થવું હોય. તે માંસાહાર કરવો જોઈએ એ માન્યતા જેસભેર ફેલાતી જાય છે. વિશાળ સમાજમાં વ્યાપી રહેલા વાતાવરણ તરફ નજર કરીએ તે પશુદયા એ કઈ જુનવાણી વિચાર હોય એમ ચોતરફ એ વિષે કેવળ ઉદાસીનતા માલૂમ પડે છે. ભારતના મહાઅમાત્ય થોડા સમય પહેલાં સૌરાષ્ટ્રમાં આવવાના હતા ત્યારે ગીરના જંગલમાં મુક્તપણે વિચરતા સિંહને જોવાની તેમની ઈચ્છાને માન આપીને તેઓ જે વિભાગમાં ફરવાના હતા ત્યાં સિંહોને જતા આવતા કરવા માટે કેટલાય દિવસો સુધી સરકારી કર્મચારીઓ તરફથી પાડા બકરાઓ બાંધવામાં આવ્યાં હતાં. આ બાબતનું ન તે કશું દુ:ખ જવાહરલાલને હતું કે ન તે આમ પ્રજાને. પરદેશમાં પ્રયોગ કરવા માટે હજારોની સંખ્યામાં આ દેશમાંથી વાંદરાઓની નિકાસ કરવામાં આવે છે. અહીં પણ જીવતા વાંદરાઓ ઉપર એ પ્રયોગ ચાલી રહ્યા છે. આ બાબતમાં કેઈનું દિલ દાઝતું નથી કે કોઈ પોકાર ઉઠાવતું નથી. આ સૈકામાં બની ગયેલાં બે વિશ્વયુદ્ધ અને ત્યાર પછીની અનેક ઘટનાઓએ માનવજીવનમાં નરી નિષ્ફરતા પિષવાનું કામ કર્યું છે. અણુબ અને હાઈડ્રોજન બોંબની શોધે માનવીની સંહારશક્તિને અસીમ બનાવી દીધી છે. વિજ્ઞાન પિતાની શોધે માટે પશુઓની પાર વિનાની હિંસા કરે છે. દયા-કરુણાનું તત્ત્વ માનવી માનસમાંથી લુપ્ત થતું ચાલ્યું છે. આજે અણુબોંબના ચાલી રહેલા અખતરાઓથી પશુઓની હત્યા થયેલી હોય છે અને એ બાબતની કોઈના દિલમાં જરા પણ અરેરાટી રહી નથી. ઊલટું માનવસમાજના હિત ખાતર એ તે થવું જ જોઈએ એમ સારા સમજદાર માણસો પણ દુ:ખ કે ડંખ સિવાય બોલતા સંભળાય છે. દવાદામાં પ્રાણીજન્ય પદાર્થોને છૂટથી ઉપયોગ ચાલી રહ્યો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy