SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પશુદયા ઉપર ભાર મૂકનારે માણસ માનવસમાજને વિસરી જાય છે. માનવતાને આગળ ધરનારને મન પશુછવનનું કોઈ મહત્ત્વ હતું નથી. જીવનમાં સાચી અને સર્વાગી અહિંસાનો ઉદય થવા માટે માણસે પિતાના જીવનનું–આહાર તેમ જ વ્યવહારનું–આમૂલ સંશોધન કરવું જોઈએ, નિયમ અને અપવાદના વિવેકની તેને સૂઝ હેવી જોઈએ એટલું જ નહિ પણ જ્યારે અમુક અને અન્ય પ્રકારની હિંસા વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે સાચી પસંદગીનું ધોરણ તેને સુલભ હોવું જોઈએ. આ રીતે વિચારતાં માલૂમ પડશે કે નિરામિષ આહાર અહિંસક આચારનું માત્ર એક પાસું છે અને તે આચારની સંપૂર્ણતાને પહોંચવા બીજા અનેક પાસાંઓની તેનામાં ખિલાવટ થવાની જરૂર રહે છે. આ રીતે વિચારતાં એ પણ માલૂમ પડશે કે નિરામિષ આહારીને માંસાહાર કરતી વ્યક્તિ પ્રત્યે ધૃણા કે અવગણનાની નજરે જોવાનો અને તેનાથી પિતે ઘણે ઊંચો છે એવું અભિમાન ચિન્તવવાને લેશમાત્ર અધિકાર નથી કારણ કે આવા નિરામિષ આહારીના માનસમાં અને આચરણમાં બીજી પાર વિનાની હિંસા ભરેલી હોય છે અને પેલે માંસાહારી બીજા વ્યવહાર અને આચારમાં આ નિરામિષ આહારી કરતાં અનેક રીતે ચડિયાતાં એટલે કે વધારે દયાળુ હોય એમ માલૂમ પડે છે. સંભવ છે કે તે પણ પિતાના સંસ્કાર અને પિતાની રીત મુજબ અહિંસાની જ અન્ય પ્રકારે આરાધના કરતા હોય. માનવી જીવન એટલું બધું જટિલ અને એટલી બધી અસંગતિઓથી ભરેલું હોય છે કે કેપણ માણસે પિતાના અમુક આચારવિચાર વિષે અભિમાન ચિન્તવવું અથવા તે તે કારણે પિતાને અન્યથી ચડિયાત લેખો તે કેવળ અજ્ઞાનકુંજ પ્રદર્શન કરવા બરાબર છે.. . . . . . . - નિરામિષ આહાર સંબંધમાં આપણને અંગત ગમે તેટલું આગ્રહ અને પ્રતીતિ હેય, એમ છતાં દુઃખ સાથે એ કબૂલ ક્યાં . : - , ' . ' ! - | T કે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy