SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવ્યું તેમ એક તો માંસાહારત્યાગ એટલે પ્રાણીજન્ય સર્વ પદાર્થોને ત્યાગ એમ સમજવાનું છે જ નહિ. નહિ તો દૂધ અને મધ બને વર્ય બની જાય. પશુહિંસા વિના બને પદાર્થો આજે સુલભ છે અને શરીરની તાકાત વધારવા માટે આ બન્ને દ્રવ્યો ઘણાં ઉપગી છે અને વનસ્પતિના વિશાળ પ્રદેશમાં પણ અનેક પદાર્થો ભરેલા છે કે જે માનવીની શારીરિક તાકાતમાં જરૂરી સર્વ પુરવણી કરી શકે તેમ છે. આ બધું છતાં ધારે કે સમગ્રપણે વિચારતાં વનસ્પત્યાહાર કરતાં માંસાહાર વધારે તાકાત આપે છે એમ હકીક્ત રૂપે સત્ય હોય તે પણ માનવીનો આદર્શ બને તેટલા બળવાન પશુ બનવાનો કદી હતો નહિ, છે નહિ. માનવી કરતાં અનેકગણું વધારે બળ ધરાવતાં પશુઓ વિદ્યમાન છે. એમ છતાં માનવીનું તે પશુઓ ઉપર પ્રભુત્વ વર્તતું હતું અને વર્તે છે. તેનું કારણ એ છે કે માણસનું વિશિષ્ટ લક્ષણ તેની શારીરિક બળવત્તરતા નહિ પણ પ્રખર બુદ્ધિમત્તા છે. એટલે કરુણા પ્રેરિત માનવીનું આ પ્રશ્ન અંગે એક જ વલણ હોઈ શકે કે મારું શરીર નિરોગી હોય, કાર્યક્ષમ હોય છે તે મારા માટે પૂરતું છે. મલ્લ કે કુસ્તીબાજ થવું અથવા તે બલાત્ય પશુ બનવું એ સામાન્ય માનવીને આદર્શ હેઈન શકે. તાકાતની દષ્ટિએ માંસાહારનું ગમે તેટલું ચડિયાતાપણું હોય તે પણ એવી તાકાતની મને કોઈ જરૂર નથી કે જે મારા અન્તસ્તત્ત્વને જડ બનાવી દે, કરુણાવિહોણું બનાવી દે. કરુણા પ્રેરિત માનવી આમ હંમેશાં વિચારે છે અને નિરામિષ આહાર વિષેની પોતાની મક્કમતાને કાયમ રાખે છે. નિરામિષ આહારની–તાત્વિક કહે કે નૈતિક – ભૂમિકા આ પ્રકારની છે. તેને વિશેષ સંબંધ બુદ્ધિ સાથે નહિ પણ હદય સાથે છે. વિજ્ઞાન સાથે નહિ પણ ધર્મ સાથે છે. આજના પ્રતિકૂળ વાતાવરણમાં બુદ્ધિ એમ કહેતા સંભળાય છે કે દુનિયાના મોટા ભાગના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy