SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કહી નહિ શકીએ. જાણે જ છે કે મારે મારા નિર્વાહ માટે–પ્રાણ ધારણ માટે કાંઈને કાંઈ તે હિંસા કરવાની રહેશે જ, પણ સાથે સાથે તે વિચારે છે કે એક અને અન્ય પ્રકારની હિંસા વચ્ચે પસંદગી કરવાનું મારા માટે શકય હોય તે મારી લગભગ સમકક્ષાનાં એવાં પશુઓ જેમાં મારા જેવું જ ચેતન્ય ચમકતું નજરે પડે છે જેનામાં મારી જેવાં જ ભય પ્રીતિ સુખનું આકર્ષણ અને દુઃખ પ્રતિ નિવર્તન, આનંદ અને શોકની, પ્રેમ અને પ્રતિકારની લાગણીઓ રહેલી છે. જેને હું પંપાળું છું તે પ્રસન્નતા દાખવે છે અને જેની સામે લાકડી ઉગાણું છું તે એકાએક ભયગ્રસ્ત બની જાય છે તેને મારીને તેનું માંસ ખાવાને મને વિચાર જ કેમ આવે? આ વિશાળ વસુધામાં શાક, ફળ, ધાન્ય પાર વિનાનાં ઊગે છે, મને જોઈએ તે મને મળી શકે તેમ છે, આમ વિચારીને તે પોતાના નિર્વાહ માટે કનિષ્ઠ કોટિના છેવો-વનસ્પતિ–ને ઉપભોગ કરીને સંતોષ ચિત્ત છે. આ રીતે માણસના આહારની બાબતમાં “જીવો જીવસ્ય જીવનમ”, નિયમ લાગુ તો પડે જ છે પણ પિતાના જીવનું જીવન-ધારણ તે માંસાહારથી નથી કરતો, કારણ કે, તેનામાં ઊગેલી માનવતાની – કરુણતાની ઊંડી વૃત્તિ તેને તેમ કરતા અટકાવે છે. પણ વનસ્પત્યાહારથી જીવન ધારણ કરવાનું તે પસંદ કરે છે. માંસાહારના પક્ષમાં સૌથી બળવાન દલીલ તેનામાં વધારે તાકાત આપવાની ગુણવિશેષતાને લગતી છે. આની સામે વનસ્પત્યાહારની તાકાત આપવાની શક્તિ વધારે નહિ તે માંસાહાર જેટલી તે છે જ એમ વનસ્પત્યાહારના પક્ષકાર જોરશોરથી કહેતા હોય છે. એમ છતાં માંસાહારની ઉપર જણાવેલ ગુણવિશેષતાને તોડી પાડવી મુશ્કેલ છે. આમ હોવા છતાં પણ કોઈએ માંસાહાર તરફ વળવા કે ઢળવાની કશી જ જરૂર છે જ નહિ અને તે એટલા માટે કે ઉપર ચિ. ૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy