SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ વૃત્તિ બળવાન નહિ હોય તે આવી બધી દલીલ માનવીને માંસા હારથી વાળવામાં કામયાબ નીવડવા બહુ સંભવ નથી. માંસાહારનું બળવર્ધકપણાની બાબતમાં ચડિયાતાપણું એટલીજ બળવાન દલીલોથી પુરવાર થઈ શકે તેમ છે. માંસાહારના કારણે અમુક રોગો પેદા થવાનો સંભવ હશે તે વનસ્પત્યાહારમાંથી પણ અમુક દર્દીની સંભાવના રજૂ કરી શકાય તેમ છે. રાંધીને પકવેલું અન્ન ખાવાને ટેવાયેલી માનવજાતિના દાંત કશું કાચું–પછી તે અનાજ હોય કે માંસ-ખાઈ શકતા નથી અને ખાવા જાય તે પણ દાંતની ચાવવાની શક્તિ મર્યાદિત હેઈને તેવો ખોરાક તે પચાવી શકતા નથી એટલે નિરામિષ આહારના સમર્થનમાં દાંતની દલીલને બહુ અર્થ નથી. આમ માંસાહારના પક્ષમાં અને વિરુદ્ધમાં બળવાન દલીલને રજૂ થઈ શકે છે અને કોઈ એકાન્ત નિર્ણય ઉપર આવવાનું સાધારણ માણસ માટે મુશ્કેલ બને છે. સ્થૂળ જગત ઉપર નજર નાંખતાં આપણી સામે એક જ કુદરતી નિયમ તરી આવે છે કે “જીવો જવસ્ય જીવનમ. નીચેની સૃષ્ટિનો ઘાત કરીને ઉપરની સૃષ્ટિ ચતરફ જીવનનિર્વાહ સાધતી માલૂમ પડે છે. આ રીતે સૃષ્ટિના વિકાસક્રમની ટોચે બેઠેલે માનવી એમ માનવાને અને વર્તવાને મુખત્યાર છે કે હું પણ મારા શરીરનું પ્રાણસંવર્ધન નીચેની કેટિની જીવસૃષ્ટિના ફાવે તેવા ઉપયોગ વડે કરી શકું છું. મને એમ કરવાને પૂર્ણ અધિકાર છે. આ પ્રકારની વિચારણા માણસને માંસાહાર તરફ આકર્ષે છે અને જે કુલપરંપરાથી માંસાહારી હોય તેને માંસાહાર ઉપર ટકાવી રાખે છે. આપણે આ કુદરતી નિયમને વિચાર કરવો જોઈએ અને નિરામિષ આહાર આપણને અભીષ્ટ હોય તે આપણે ઉપર જણાવેલ કુદરતી કાનૂનના અનુસંધાનમાં નિરામિષ આહારનું સમર્થન શોધવું જોઈએ. મોટું માછલું નાના માછલાને ખાય છે તે મુજબ “ જી જીવસ્ય જીવનમ’ એ સિદ્ધાન્ત ખોટો છે એમ આપણે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy