SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રેમ અને સહાનુભુતિને અનુભવ કરતે થે. સ્મૃતિ વડે પિતાના અને અન્યના ભૂતકાળને અને કલ્પના વડે પિતાના અને અન્યના ભવિષ્યકાળને તે વર્તમાનના અનુબંધમાં વિચારતે સંવેદત થયો અને તેની અને પશુની રીતભાતમાં વિચારને ઉત્તરોત્તર મોટે ને મોટો તફાવત પડતે ગયો. તે તફાવતમાંથી માનવસભ્યતા અને સંસ્કૃતિનો ઉદય થયો, જ્ઞાનના અનેક પ્રદેશ સર થવા લાગ્યા અને પ્રેમ, દયા, કરુણાની નવી દૃષ્ટિએ જગતને, જગતના પ્રાણીઓને તે નિહાળવા લાગ્યો. ધર્મસંસ્થાઓ ઊભી થવા લાગી અને દુનિયા સાથેના તેના વ્યવહારે અનેક નવાં રૂપ ધારણ કરવા માંડયા. આજે આપણી પ્રકૃતિમાં જે નિરામિષ આહારની વૃત્તિ સ્થિર અને સ્થાયી રૂપ ધારણ કરી બેઠી છે તે સતત વિકસતી રહેલી માનવસભ્યતા અને સંસ્કૃતિનું જ એક રૂપ છે. અમુક માનવીઓ જે નિરામિષ આહારી છે તે અમુક પશુઓ ગાય, બળદ, ભેંસ. ઘેડા, બકરાં વગેરે પણ નિરામિષ આહારી છે અને ઘાસ અને ભાજપાલા ઉપર નભે છે. પણ તેમના અને માનવીના નિરામિષ આહારતામાં ભારે તફાવત છે. તે પશુઓ પ્રકૃતિથી અને નહિ કે કઈ ઉદાત્ત વૃત્તિથી નિરામિષાહારી છે. માનવીની આહાર મર્યાદા કેવળ કરુણાવૃત્તિમાંથી નિર્માણ થઈ છે. આજે નિરામિષ આહારના સમર્થનમાં અનેક દલીલ કરવામાં આવે છે. દા. ત. વનસ્પત્યાહાર માંસાહાર જેટલે જ બળદાયી છે, બલ્ક વધારે છે. માંસાહારથી કેટલાક રોગો થાય છે જેનું વનસ્પત્યાહારીઓ માટે કશું જોખમ જ નથી. માણસના દાંતનું બંધારણ એ પ્રકારનું છે કે તે વનસ્પત્યાહાર માટે સરજાયા છે. હિંસક પ્રાણીઓના દાંત જુદા જ પ્રકારના હોય છે. જે પાયામાં કરૂણાની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy