SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તે પછી મારા જેવાં જ પંચેન્દ્રિય પશુઓનો વધ કરીને તેનું માંસ હું શા માટે ખાઉં ? એક દિવસ કતલ થતા જાનવરની ચીસ એ માનવીના કાન ઉપર અથડાઈ અને તેના દિલમાં તે સાંસરી ઊતરી ગઈ. તે પશુનું પકવેલું માંસ તેની સામે આહાર-ઉપભોગ માટે આવ્યું અને તે પેલી ચીસનું સ્મરણ તેના દિલને ચીરવા લાગ્યું અને તે પશુની દીનતાભરી મુદ્રા, કરગરતી આંખો, આંતર ચેતનાથી હલનચલન કરતું તેનું સોહામણું શરીર તેની આંખ સામે - તરવરવા લાગ્યું અને આ મારાથી નહિ ખવાય એમ કહીને તે ઊભો થઈ ગયો હશે. તેના દિલમાં ઊંડી કરુણાને તે દિવસથી ઉદય થયો અને માંસાહારને તેણે હંમેશાને માટે ત્યાગ કર્યો. માંસાહારત્યાગની આ છે પ્રાથમિક ભૂમિકા અને આજે પણ માંસાહારત્યાગની એ જ ભૂમિકા રહી છે. ભગવાન તેમના લગ્ન– મંડપથી પાછા ફર્યા, કારણ કે લગ્નને લગતી વરેઠી–જમણ માટે કતલ કરવા અર્થે એકઠા કરવામાં આવેલાં પશુઓને ચિત્કાર તેમના કાને પડે અને તેમને આત્મા અંદરથી કકળી ઊઠે કે અરે - આ શું ? મારા લગ્નનિમિત્તે આટલાં બધાં પશુઓની હિંસા ? મને આ લગ્ન જ ન ખપે. રથ પાછો ફેરવાળે અને સાથે સાથે તેમની જીવનની આખી દિશા પણ બદલાઈ ગઈ. આમિષ કે નિરામિષ આહાર અંગે પ્રસ્તુત બાબત એ છે કે માનવી જે પશુની જ એક વિસ્તૃત આવૃત્તિ હેત, તેનામાં પશુઓમાં જે નથી એવી બુદ્ધિ, હૃદયની લાગણી, સ્મૃતિ અને કલ્પના ન હોત તે માનવી મોટામાં મોટો માંસાહારી જ બન્યો હોત. કારણ કે માંસાહારથી વારનારું તેના માટે કોઈ કારણ હેત જ નહિ. પણ માનવી પોતે બુદ્ધિથી વિચારતે થયો અને બીજાનાં સુખદુઃખને સમજવા લાગ્યો, હૃદયથી સંવેદત થયો અને અન્યમાં આત્મીયતાને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy