SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ નિરામિષ આહાર માનવજીવનના પૂર્વકાળનો ઈતિહાસ અને વિકાસક્રમ જોઈએ છીએ તે માલૂમ પડે છે કે એક કાળે આપણે દુનિયાના લોકોને ખેતી કેમ કરવી અને ધાન કેવી રીતે પકાવવું તેનો ખ્યાલ નહે અને આ જગત ઉપર વિચરતે માનવી જે કાંઈ ફળપાન મળે તે દ્વારા અને શિકારથી મળેલા પશુઓના માંસભક્ષણ દ્વારા જીવનનો નિર્વાહ કરતે હતો. સમયાન્તરે ખેતીની શોધ થઈ અને અનાજ તથા કકેળ તેના ખાદ્ય પદાર્થોમાં ઉમેરાયાં. ખેતી જેમ જેમ વધતી ગઈ અને પુષ્કળ પ્રમાણમાં જેમ જેમ પાક ઊતરવા લાગ્યો તેમ તેમ જીવનનિર્વાહ માટે માંસભક્ષણની અનિવાર્યતા ઘટતી ગઈ અને કેવળ અનાજ-શાક તથા ફળ ઉપર જીવનનિર્વાહ શકય બનતો ગયો. આમ જેમ ખેતી-વિજ્ઞાનને જ માત્ર નહિ પણ વનસ્પતિ–વિજ્ઞાનને એક બાજુએ વિકાસ થતે ગમે તેમ બીજી બાજુએ માનવીના મનને, બુદ્ધિ, હૃદયને પણ ઉત્કર્ષ થતો ગયો અને કોમળતા, કરુણા, અનુકંપા આદિ ગુણો ખોલવા લાગ્યા. આ આન્તરવિકાસના પરિણામે કેઈ એક માનવીના દિલમાં પ્રશ્ન થયો હશે કે હું જે વનસ્પત્યાહાર ઉપર મારા જીવનને કશી પણ અગવડ, તંગી કે અતૃપ્તિ વિના નિર્વાહ કરી શકું છું, મારી સેન્દ્રિય તૃપ્ત થાય છે અને પ્રાણવર્ધક દ્રવ્યો પણ વનસ્પત્યાહારમાંથી મને પૂરા પ્રમાણમાં મળી રહે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy