SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મય જીવન વ્યક્તિ કે સમષ્ટિ માટે અશક્ય જ છે. જીવન એટલે જ હિંસાથી બને તેટલું નિવૃત્ત જીવન અખત્યાર કરવું. આ રીતે આપણા અંગત જીવનને બને તેટલું અહિંસામય બનાવીએ. આપણા - સામાજિક જીવનને પણ અહિંસાની દૃષ્ટિએ બને તેટલું નિર્મળ બનાવીએ. જ્યાં જ્યાં આપણા વ્યક્તિગત કે સામાજિક જીવનમાં હિંસા ભરી હેય, અન્ય વર્ગોના વ્યાજબી હક્કો ઉપર અઘટિત - આક્રમણ થતું હોય, કોઈ દબાયેલું, અવમાનિત, કે તિરસ્કૃત હોય. અનેક ભૂખે મરતા હોય અને માત્ર ગણ્યાગાંઠયા લેકે વૈભવમાં હાલતા હેય—આ સર્વ દિશાઓમાં અહિંસા અને ન્યાયની સ્થાપના કરીએ. આમ આતર બાહ્ય અનેક પરિવર્તન સાધીને આપણું રાષ્ટ્રની સમગ્ર વ્યવસ્થાને બને તેટલી અહિંસાપૂર્ણ બનાવીએ. આજે આપણને સૈન્ય વિહોણા રાજ્યતંત્રની ઘટના અવ્યવહારુ લાગે છે, પણ ઉપર જણાવેલી સાધના સાધતાં સાધતાં આપણે સશક્ત દેશ સ્વાધીનતા મેળ• વિીને સૈન્યવિહોણા રાજ્યતંત્રનું ગાંધીજીનું સ્વપ્ન સાચું પાડશે ત્યારે પૃથ્વી ઉપર સ્વર્ગ અવતરશે અને સર્વત્ર સંતેષ, સુખ અને શાશ્વત શાન્તિની સ્થાપના થશે. એ ઉજજવલ દિવસની પ્રાર્થના કરતાં કરતાં આપણે અહિંસાના ધર્મના માર્ગ ઉપર આપણે પ્રવાહ ચાલુ રાખીએ અને આપણા વ્યક્તિગત તેમજ સામુદાયિક જીવનને અહિંસા વડે બને તેટલું નિર્મળ અને પ્રકાશવાહી બનાવીએ !* ' ( ભારતે આઝાદી પ્રાપ્ત કરી તે પૂર્વે લખાયેલે આ લેખ તે સમયની પરિસ્થિતિના સંદર્ભમાં જે –સંપાદક) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy