SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ આવી જ રીતે કોમી રમખાણે કે બીજા હુલ્લડો અટકાવવામાં બીજા ઉપ નિષ્ફળ નીવડતાં સશસ્ત્ર દમન કર્યા સિવાય વાત કરીએ છીએ છતાં કોઈ પણ કોમી રમખાણને દાબવા માટે સરકાર ચાંપતા ઉપાયો નહિ લે તો સરકાર સામે પણ આપણે ભારે પોકાર ઉઠાવવાના. પણ આ ચાંપતા ઉપાય એટલે હુલ્લડખો સામે શસ્ત્રોને તાત્કાલિક અને જરૂર મુજબ એાછો કે વધારે ઉપયોગ નહિ તે બીજું શું ? આવું જ વલણ અને વર્તન સરહદી આક્રમણે સંબંધમાં, સમજાવટના ઉપાયો નિષ્ફળ ગયે, આપણે અખત્યાર કરવાના જ. બીજી પણ એક બાબત વિચારવા જેવી છે. અહીં આપણે જે પ્રકારની અહિંસાની વાત કરીએ છીએ તેનો એક અર્થ એ પણ છે કે પોતાની જાતનો ભોગ આપીને સમુદાયને લાભ સાધા. આવી જ રીતે સમસ્ત રાખે અહિંસા અંગીકાર કરવી એટલે સમય આગે પિતાના સર્વસ્વના ભોગે પણ જગતમાં અહિંસા સ્થાપવા પ્રવૃત્ત થવું. પણ કોઈ પણ મહાન આદર્શ ખાતર દેશને પણ ભોગ આપી દેવા તત્પર થવું એ હજુ આજે તે આપણા કલ્પનાક્ષિતિજની સીમા બહાર છે. રાષ્ટ્ર વિધાયકેને માટે જેમ પ્રજાને દેરવાની જવાબદારી છે તેવી જ રીતે પ્રજાના બળાબળનું માપ પણ બરાબર ધ્યાનમાં રાખીને રાજ્યવહીવટના વિધિનિષેધ તેમણે ઘડવાના રહે. છે. જેનું એકાન્ત લક્ષ્ય અહિંસા છે અને જે અહિંસાના વિચારથી ખરેખર ઓતપ્રેત બની ગયા છે તેઓ જરૂર એમ કહી શકે કે જે કોંગ્રેસે હિંસાઅહિંસાના મિત્ર માર્ગ ચલાવવાની હોય તે એવી કેગ્રેસમાં અમને રસ નથી. આમ કહેનારની પ્રામાણિક્તા વિષે અથવા તે ઉપરના કારણે તેઓ કેગ્રેસને ત્યાગ કરે તે તેના લીધે તેમના વિષે જરા પણ અનાદર ચિત્તવો એ નથી. ગાંધીજી આજ સુધી આપણને અહિંસાના માર્ગે દોર્યો, પણ રાજ્યતંત્રની જવાબદારી લેવા આજે કે કાળાન્તરે જયારે પણુપ્રસંગ આવશે ત્યારે ગાંધીજી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy