SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા જેવા ઘણાખરાને મન સ્વરાજ્ય—સ્વાધીન રાજ્યત`ત્ર– અહિંસામય હોય તે અહિંસા-હિંસા મિશ્રિત રાજ્યતંત્ર એ મુખ્ય વસ્તુ હતી. ગાંધીજીની અહિંસાનું પાલન કરનારા ઘણા જ એછા હતા અને બાકોનામાં કેટલાક અદગ્ધ અને બીજા આજે અન્ય કાઈ વ્યવહારુ મા નજરે નહિ પડવાથી આ રીતે પણ સરકારને અસરકારક સામનેા થઈ શકે છે અને લડતની ભૂમિકા ઊંચી અને ઊંચી જળવાઈ રહે છે એમ સમજીને ગાંધીજીને અનુ સરનારા હતા. વચગાળાના નાના સરખા રાજ્યવહીવટે જેમ આપણી તાકાતનું ભાન કરાવ્યું હતુ. તેમ જ આજના રાજ્યવહી– વટમાં હજુ અહિંસાપાલનને કેટલા ઓછા અવકાશ છે એનેા પણ ટોક ટોક ખ્યાલ આપ્યા હતા. વળી એ પણ પ્રશ્ન વિચારવા જેવા રહે છે કે રાષ્ટ્રીય મહાસભાનું આખરી ધ્યેય શું છે ? રાષ્ટ્રને સ્વાધીનસત્તાક બનાવવાનુ કે અહિ ંસા જેવા એકાન્ત આદર્શને કાઈ પણ ભાગે અને કાઈ પણ સયાગમાં દેશ પાસે અને આખરે જગત પાસે અમલ કરાવવાનું ? સરકાર સામે લડત કરવાની હોય ત્યારે જેટલું` અસરકારક પરિણામ આવે એટલું આવશ્યક દબાણ સરકાર ઉપર લાવી શકાય તેમ હાય અને સાથે સાથે અહિંસા પણ જળવાતી હાય એવા કાઈ માર્ગે ગાંધીજી જેવા આપણને દારે અને આપણે તેને જરૂર અનુસરીએ. પણ જ્યારે માથા ઉપર તંત્રની જવાબદારી આવે ત્યારે કેવળ અહિ ંસાથી ત ંત્ર ચલાવવું અશકય જ છે એવા આપણને આગળના તાજો જ અનુભવ હતા. અહિં સાના વ્યક્તિગત અનુપાલનમાં આપણે કરડવા આવતા સપ્ને ન મારીએ ને ફાડી ખાવાને ધસી આવતા વાઘવરુને ન મારીએ, પણ ફાઈ ગામની રખેવાળી જો આપણે માથે લીધી હોય તેા ગામને રંજાડતાં સર્પ કે વાઘવરુની હિંસા આપણા માટે અનિનાય બમવાની જ. આજ અનુભવ મ્યુનીસિપાલિટીના સૂત્રધારાના પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy