SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ વિરહ ગયે વર્ષે આરંભ થયો. હિન્દુસ્તાનના ભાવિ વિષે સરકારે પિતાની રાજનીતિ સ્પષ્ટ ન કરી. લેકમાં અસંતોષ વધવા લાગ્યો. સત્યાગ્રહની લડત આવી રહી છે એમ ભણકારા વાગવા શરૂ થયા. રામગઢની મહાસભાએ ગાંધીજીને ફરીથી પ્રજાના સરમુખત્યાર બના વ્યા. ગાંધીજીએ એ મુખીપણું સ્વીકાર્યું. યુરોપની લડાઈ આગળ વધવા લાગી અને તેનું સ્વરૂપ વધારે ને વધારે ભીષણ બનવા લાગ્યું, સરકારે હિન્દ વિશેની પિતાની રાજનીતિની વધારે ચોખવટ કરવા માંડી. કોંગ્રેસને આથી સંતોષ થયો નહિ. એમ છતાં સમાધાનની આશા કાંઈક બંધાવા લાગી. વાઈસરોય અને ગાંધીજી વચ્ચે વાટાઘાટો ચાલતી જ રહી. જે સરકાર સાથે આપણી સમાધાની થાય અને કેગ્રેસની માગણીઓ જે સ્વીકારવામાં આવે તે આપણે શું કરવું ? સરકારને આજે ચાલી રહેલા વિગ્રહમાં સાથ આપવો કે નહીં સાથ આપો તો કયા પ્રકારને? કેવળ નૈતિક કે લશ્કરી અને આર્થિક? આપણા દેશમાં આપણું શાસન સ્થપાય પછી આપણે શું કરવું ? પરદેશી આક્રમણ સામે બચાવ કરવા માટે સૈન્ય રાખવું કે નહિ ? દેશમાં પણ ગમે ત્યારે કોમી રમખાણો થાય. બીજાં પણ હુલ્લડ થાય તેવા વખતે રાજશાસનની જવાબદારી ધારણ કરતાં આપણે શસ્ત્રબળના ઉપયોગથી તેની અટકાયત કરવી કે નહિ ? આવા પ્રશ્નો એકાએક ગાંધીજી અને અન્ય રાષ્ટ્રનેતાઓ વચ્ચે આવીને ઊભા રહ્યા. અહિંસાને જેના દિલમાં મુખ્ય સ્થાન છે તે દેશના કોઈ પણ સંગમાં શસ્ત્રબળના ઉપયોગને સંમત કરે જ કેમ ? એની આગળ તે અહિંસાની જ વાત હોય અને અહિંસાની જ યોજના હેય. બીજી બાજુએ જેમાં સશસ્ત્ર સૈન્ય રાખવાનું નહિ એવી હિન્દુસ્તાનના ભાવિ રાજ્યતંત્રની ઘટના કારોબારી સમિતિના સભ્યોએ કે અન્ય રાષ્ટ્રનેતાઓએ કદી કપેલી જે નહિ. આખરે ગાંધીજીને મન અહિંસા મુખ્ય હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy