SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ' અહિંસાએ હવે નિશ્ચય સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આવી ખાખતામાં અર્હિંસાને કશું સ્થાન જ હાઇ ન શકે એ ભણેલાઓના મેાટા વહેમ હતા તે વહેમ છેલ્લા વીશ વર્ષની ઇતિહાસવાનાએ નાબૂદ કર્યાં છે. જેવી રીતે આઝાદીની પ્રાપ્તિ અર્થે તેવી જ રતે અસ્પૃશ્યતા નિવા રણની દિશાએ કે મદ્યનિષેધની દિશાએ સત્યાગ્રહને એક યા અન્ય પ્રકારને અમલ થયા છે અને થઈ રહ્યો છે. રાષ્ટ્રીય મહાસભાએ પોતાના સર્વ કાર્યક્રમમાં અહિંસાને અગ્રસ્થાન આપ્યું છે. અહિ ંસા આજે કેવળ નકારાત્મક વૃત્તિ નથી રહી કે જેની ચલણી બાજુ કેવળ નિર્માલ્યતા જ હતી, પણ અહિંસાને એક શક્તિ તરીકે આજના વિચારકેએ ીકારી છે અને અનુભવી છે. ડરવું અને ઈશ્વર શ્વિર'નું નામ ભજ્યા કરવું એવી ટૂંકી અને ગેરરસ્તે દોરવનારી સમજ નથી રહી; પણ જ્યાં જ્યાં કરવાની એક જ રીત છે અને તે વ્યવસ્થિત પશુબળના ઉપયાગની–એમ આજ સુધી માનવામાં આવતું હતું તેના બદલે માનવી પોતાની માનવતા જાળવીને અહિ'સક ઉપાય વડે તે તે અધર્મ કે અન્યાયને સફળ સામનેા કરી શકે છે એ આજ મનાયું છે. જેમ અમુક પરિસ્થિતિ અસહ્વ બનતાં તે સામે અમુક માણસ, અમુક વર્ગ હલ્લા કરવાના છે એ સાંભળતાં સુલેહ શાંતિના રક્ષકા ચમકે છે, તેવી જ રીતે અમુક બાબતમાં સત્યાગ્રહ થવાને છે એ સમાચાર પણ રાજસત્તાને આજે ચમકાવે છે, અને અકળાવે છે. ગાંધીજીને આ મેટા સંદેશા છે કે કોઈ પણ હિં`સક બળવાની જરૂર છે જ નહિ–ઊલટું પશુબળને ઉપયેાગ કરવાથી પશુબળ સામે પશુઅળના જ ગુણાકાર વધે છે. પણ આવા પ્રસંગે માનવી પોતાની માનવતા પૂરેપૂરી જાળવી શકે છે અને એમ છતાં પણ કાઈ પણ અન્યાયને પૂરેપૂરા પ્રતિકાર કરી શકે છે. આમ, ગાંધીજી આપણને અસહકાર અને સત્યાગ્રહદ્વારા અહિંસાના ભાગે દોરી રહ્યા છે અને આપણે દોરાયા છીએ. મોટા મેટા દેશ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy