SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ નેતાઓ અને અખિલ હિંની રાષ્ટ્રીય મહાસભા પણ ગાંધીજીના પગલે આજ સુધી ચાલી છે અને તેમની અહિંસાને બને તેટલી અપનાવે છે. આમ છતાં આ જ પ્રશ્ન ઉપર ગાંધીજી અને રાષ્ટ્રીય મહાસભા આજે જુદાં પડતાં દેખાય છે. એનું શું કારણ? આ પ્રશ્નનું વિવરણ કરવામાં ન આવે ત્યાં સુધી અહિંસાની ઉત્કાન્તિની સમાચના અધૂરી ગણાય. ગાંધીજીએ આપણી સમક્ષ જે અહિંસાત્મક કાર્યક્રમ રજૂ કર્યો અને આપણે સ્વાત્રેયની અવરોધક રાજસત્તાને સામને કરવા જે પ્રકારનો અસહકાર કે સત્યાગ્રહ કરવાનું કહ્યું તેની બે બાજુ હતી. એક તો બાહ્ય બાજુ એટલે કે સરકારી શાળા, કચેરી કે ધારાસભાને બહિષ્કાર કરવો. સરકારી નોકરી છોડી દેવી, અમુક કાયદાકાનૂનને સવિનય ભંગ કરો. અમુક કર ન ભરવો કે અમુક સરકારી કાર્યમાં સહકાર ન આપો. ઇત્યાદિ આ બાહ્ય પ્રકારની દિશાએ પ્રજાએ પિતાની તાકાત પ્રમાણે કાંઈને કાંઈ કરી બતાવ્યું અને સાથે સાથે કોઇ પણ પ્રસંગે સરકારી સત્તાને હિંસક સામને નહિ કરવા પૂરતો સ્તુત્ય સંયમ પણ દાખવ્યો. આ સંયમમાં અપવાદો બન્યા નથી એમ ન કહેવાય, પણ મોટે ભાગે એ સંયમ અખંડિત જળવાઈ રહ્યો હતો. પણ ગાંધીજીની અહિંસાની બીજી બાજુ એ હતી કે આપણે આપણા પ્રતિપક્ષી વિષે જરા પણ દેષ મત્સર કે ક્રોધ ચિત્તવવો નહિ, તેનું સદા ભલું ઈચ્છવું અને તેના ભલા માટે ઈશ્વરને સદા પ્રાર્થના કરવી. આમ કરવાથી એક વખત પ્રતિપક્ષીને હૃદયપલટો થશે અને આપણું સ્વરાજ્યની માંગણીને સરકાર જરૂર મંજૂર રાખશે એવી સદા શ્રદ્ધા સેવવી. આ આન્તર બાજુ તરફ પ્રજાએ મૂળથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy