SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ તેણે તે સમાજ કે રાજ્યવહીવટ સાથે અસહકાર કરી તે અન્યાય અત્યાચાર–ટાળવાનો પ્રયત્ન કરવો. આખરે સમાજ તે વ્યક્તિઓને બનેલ છે. રાજ્ય સંસ્થા પણ વ્યક્તિના સીધા કે આડકતરા સહકાર ઉપર જ ચાલે છે. તેથી જ જ્યારે વ્યક્તિમાં વ્યક્તિ ઉમેરાતાં માટે સમૂહ એકત્ર બનીને સહકાર પાછો ખેંચી લે કે તરત જ એ સમાજ કે રાજ્યનું તંત્ર અટકી પડે અને ખેંચી લેવાયેલ સહકાર પાછો મેળવવા માટે તે સંસ્થાએ ચાલુ અન્યાયો બંધ કરવા જ પડે. કોઈ પણ પ્રકારના હિંસક સાધનોનો ઉપયોગ કર્યા વિના, એક પણ માણસનું લોહી રેડ્યા સિવાય, આવો અસહકાર મોટામાં મોટી રાજ્યક્રાન્તિ નિપજાવી શકે. અહિંસાના વિચારને આ રીતે ટોલ્સટોય, થરા જેવા મહાપુરુષ દ્વારા સામાજિક તેમ જ રાજદ્વારી પ્રશ્નો ઉપર લાગુ પાડવાના પ્રયત્ન શરૂ થયા તરફ આ વિચારે ફેલાવા લાગ્યા. રશિયામાં સામ્યવાદની પ્રાથમિક ભૂમિકા ટેસ્ટ રચી. જેમાં અહિંસાના ખ્યાલને પૂરું પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પણ તે સામ્યવાદના આદ્યવિધાયક કાર્લ માકર્સે અહિંસાના વિચારને તિલાંજલિ આપી અને યેનકેન પ્રકારેણ વર્તમાન સમાજરચનાનું સામ્યવાદી પરિવર્તન સાધવા ઉપર જ તેણે ખૂબ ભાર મૂક્યો. ટોલ્સટોય અને થરાએ સત્યાગ્રહ અને અસહકારનાં વાવેલાં બીજને અમલી કાર્ય દ્વારા જલસિંચન કરી વૃક્ષરૂપે વિકસાવવાનું કાર્ય તે ગાંધીજીએ જ દક્ષિણ આફ્રિકાની સત્યાગ્રહની લડત દ્વારા કર્યું. આ લડતનો ઇતિહાસ સૌ કોઈ જાણે છે. ત્યાં વસતા હિંદીઓ બળજેરીથી લડવા નીકળ્યા હોત તો બધું ગુમાવી બેસત. એવા સંયોગોમાં સત્યાગ્રહને ધર્મમય માર્ગ ત્યાંની હિંદી પ્રજાને દેખાડીને એટલું જ નહિ, પણ એ માર્ગે આ ખ પ્રજાને દોરીને ત્યાંની સંસ્થાને પ્રજાની વ્યાજબી માંગણીઓ સ્વીકારવાને ફરજ પાડી. અહિંસાના ઈતિહાસમાં આ અભૂતપૂર્વ બનાવે વિચારક દુનિયાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy