SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ કરવો જ રહ્યો. આ ઉપરાંત ટોસ્ટેયને આજની આખી સંસ્કૃતિ, સમાજરચના, મૂડીવાદ સર્વ વ્યવસ્થા કેવળ હિંસા ઉપર જ રચાયેલી માલૂમ પડી, હાથમજૂરીનો મોભો ગયો અને યંત્રએ માનવીના મોટા મોટા સમૂહને સ્થાનભ્રષ્ટ કર્યા. મજરે પરસેવા અને લેહીથી શ્રમ કરે અને ધનિકે કેવળ એશઆરામ કરે. રાજ્યતંત્રની વ્યવસ્થાના મૂળમાં તેને કેવળ પશુબળ અને હિંસા ભરેલી માલૂમ પડી. આ સામે તેના મનમાં ભારે બળવો ઊભો થયો, તેના મનમાં વસી ગયું કે - જે જગતમાં સુખ અને શાન્તિ લાવવાં હોય તે આ આખી રચનાને, નાશ કરવો જોઈએ અને જે સમાજમાં બળજેરી, બેકારી અત્યંપાદન અને બુર્ઝવા–એશઆરામી વર્ગ ન હોય એવી સમાજરચના ઊભી કરવી જોઈએ. આ ક્રાન્તિ મારફાડ કરીને નહિ પણ લેકના - હૃદયનો પલટો કરી બેઠો બળવો જગાડીને નિપજાવવી જોઈએ. આવી રીતે ટોલ્સ્ટોયે ખ્રીસ્તી ધર્મશાસ્ત્રોના અધ્યયનમાંથી જ પ્રેરણા મેળવીને અહિંસક વિરોધના તત્ત્વને જન્મ આપ્યો અને તે તત્વ ક અને રાજકીય પ્રશ્નોને લાગુ પાડવાનો પ્રયત્ન આરંભ્યો. એ અરસામાં “શેરો” નામના તત્ત્વચિન્તકે અસહકારના સિદ્ધાન્તને જગત આગળ બહુ અસરકારક રીતે રજૂ કર્યો. તેની પ્રરૂપણાને સાર એ હતો કે કોઈ પણ માણસ જે સમાજ તેમજ રાજ્યતંત્ર નીચે વસતે હેય તેના ન્યાય અન્યાયથી નરપેક્ષ રહેવાને દાવો કરી શકે જ નહિ. સમાજ અને રાજ્યતંત્રના અવલંબન વડે જ દરેક માણસ સુખપૂર્વક જીવે અને પોતાની સર્વ પ્રવૃતિઓ ચલાવે છે. તેથી તે સમાજરચના કે રાજ્યતંત્રના પાયામાં રહેલા ન્યાય-અન્યાયોમાં દરેક વ્યક્તિની ભાગીદારી રહેલી છે. તેથી જ્યારે પણ કોઈ પણ - વ્યક્તિને એમ ભાસે કે પોતાનો છે કે પિતા ઉપર ચાલી રહેલે રાજ્યવહીવટ ચોક્કસ પ્રકારને અન્યાય કરી રહેલ છે કે અત્યાચાર આદરી રહેલ છે ત્યારે તે વ્યક્તિને ધર્મ થઈ પડે છે કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy