SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અપનાવી લેતી. આવી જ રીતે રાજ્યવહીવટમાં ચાલી રહેલા અન્યાયો પણ કાં તે કહેવાતી બંધારણપૂર્વકની હિલચાલથી દૂર કરતા અથવા તે રાજ્ય કરતી સંસ્થા ઉપર સીધું કે આડકતરું અસાધારણ દબાણ લાવીને તે અન્યાય રદ કરવાની રાજયસંસ્થાને ફરજ પાડવામાં આવતી. આવાં ચાલુ દબાણ આવવા છતાં પણ જે રાજ્ય સંસ્થા મક્કમ રહેતી તે આખરે હિંસાપૂર્ણ બળવો થત અને રાજ્યક્રાન્તિ આવીને ઊભી રહેતી. પરરાજયના હિંસક સાધનો સિવાય અન્યથા બચાવ થઈ શકે એવું આજ સુધી કદી કોઈને સૂઝયું જ નહોતું અને આજે પણ ગાંધીજી સિવાય બીજા કેઈને આ કલ્પના હજુ વ્યવડારુ લાગતી જ નથી. આમ સામાજિક, રાષ્ટ્રીય, કે આન્તર-રાષ્ટ્રીય, કેઈ પણ પ્રદેશમાં અહિંસાના વિચારને સ્પષ્ટપણે હજુ સુધી સ્થાન મળ્યું જ નહોતું. વ્યક્તિ અને સમાજના જીવનને ઘડવામાં બળવાન ભાગ ભજવનારા સાધુસત સમાજ અને રાષ્ટ્રની સામાન્ય પ્રવૃતિઓથી ઘણુંખરું અલગ રહેતા અને લોકોને પોતપોતાના માની લીધેલા ધર્મમાર્ગે ચાલવાનો અને ઈશ્વર પ્રાપ્તિ તરફ વળવાનો ઉપદેશ આપતા આ આખી વિસંવાદી પરિસ્થિતિ તરફ મારી સમજ પ્રમાણે સૌથી પ્રથમ ટોલ્સ્ટોયનું ધ્યાન ખેંચાયું. બાઈબલનું વેદવાકય કે અસત્ય અધર્મને સામને ન કરો–આ વાગ્યે તેના મનમાં ભારે મન્થન ઊભું કર્યું. અસત્યને અધર્મને નમી જવું ? આમ કેમ બને ? આ ઉપદેશ આપનાર ઈસુપ્રીસ્તના જ તે ઉપદેશ અને આચરણ: બને પરસ્પર વિરોધી હતા ? આમ તે ન બને. વધારે વિચાર કરતાં તેને માલૂમ પડયું કે સામને ન કરે એને અર્થ હિંસાથી પશુબળથી સામનો ન કરવો એટલે જ હેઈ શકે. હિંસા એ અધર્મ છે. અધર્મ સામે અધર્મ વાપરવાથી અધર્મ જ વૃદ્ધિને પામે. બાકી છે જેનામાં ધર્મબુદ્ધિ છે. તેણે અધર્મને વિરોધ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy