SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ કરો વ્યક્તિગત આત્મસાધને સાથે જોડાયેલી રહી. તેની અસર સામુદિયક જીવન ઉપર જરૂર સારા પ્રમાણમાં પડતી રહી, પણ રાજયતથી નિર્માતું સામુદાયિક જીવન તે આખરે પશુબળ ઉપર જ નિર્ભર બની રહ્યું. કાળાન્તરે ગઈ સદીમાં રશીઆમાં ટોલ્સ્ટોયનો જન્મ થયો. તે ભારે ધર્માત્મા હતા, ચિન્તક હતા. આજ સુધી અહિંસાને અર્થ એટલે જ કરવામાં આવતો હતો કે પિતાના જીવનને બને તેટલું અળગા રહીને અપરિગ્રહી પવિત્ર જીવન ગાળવું અને બને તેટલી ઈશ્વર સાધના કરવી પણ સાથે સાથે તેમાં એક તત્ત્વ ઉમેરાયું. પિતાની માન્યતા મુજબ વર્તવામાં સમાજ કે રાજકારણ કદી આડે આવે તે પણ પિતાની માન્યતાને વળગી રહેવું અને તેમ કરતાં ગમે તેટલાં કષ્ટ સહેવા અને પ્રાણનું બલિદાન આપવાનો પ્રસંગ આવે તો તેમ કરતાં પાછા હઠવું નહિ. આ બાજુ કે તે બાજુ પિોતપોતાની ધાર્મિક માન્યતા ખાતર શાન્ત નિરવરોધ પ્રાણબલિદાન અપાયાનાં અનેક દટાતો બન્યાં જ કરતાં હતાં. આવા બનાવોએ અહિંસાનો સ્પર્શ જનસમાજ સમક્ષ જીવતો અને જાગતો રાખ્યો હતો, એટલું જ નહિ પણ તેમાં અહિંસક સામનાની કંઈ કંઈ ઝાંખી થવા લાગી હતી. પણ અહિંસાવૃત્તિનું પ્રયોગક્ષેત્ર તે હજુ સુધી ધાર્મિક માન્યતાઓના પ્રદેશ પરંતુ જ મર્યાદિત રહ્યું હતું. સમાજ કે રાષ્ટ્રના પ્રશ્નો ઉકેલવામાં રાજ્યના અન્યાયો દૂર કરવામાં કે પર રાજ્યના આક્રમણને સામને કરવામાં અહિંસા વિચારને ભાનપૂર્વક કદિ ઉપયોગ કરવાનું કેઈને સૂઝતું જ નહોતું. મોટા સામાજિક ફેરફારે વિચારેના સ્વાભાવિક પરિવર્તનમાંથી પરિણમતા અથવા તે કોઈ બળવાન વ્યક્તિ સમાજપરિવર્તક વિચારે એવા જોરથી સમાજ સમક્ષ મૂકતા અને તેને અનુસરનારું અનુયાયી જૂથ એવી ઉગ્રતાથી કામ કરતું કે તે સામે સમાજની બહુ મોટી બહુમતી જાય તો પણ કમીજલી અને નવા વિચારો અને નવા આદર્શોને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy