SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ -ખૂબ ધ્યાન ખેચ્યું.. ત્યારબાદ ગાંધીજી હિંદુસ્તાનમાં આવ્યા અને પ્રજા પાસે નાના અથવા મોટા ક્ષેત્રમાં સત્યાગ્રહને અમલ કરાવીને તેમણે અનેક સફળતા મેળવી. અહિં સાને વ્યક્તિગત જીવન ઉપર લાગુ પાડીને કઈ સીમા સુધી લઈ જઈ શકાય અને એ રીતે વ્યક્તિગત જીવનને કેવી રીતે પરિપૂર્ણ બનાવી શકાય એ સંબંધમાં ઈશુ ખ્રીસ્તે. ગૌતમ બુદ્ધે કે મહાવીર સ્વામીએ પોતપોતાની રીતે જગતને જે કાંઇ શિખવ્યું તેને આપણે કેટલાક વિચાર આગળના એ લેખામાં કર્યાં. અહિસાને આથી વધારે વ્યાપક ક્ષેત્રમાં ઉતારવાનું અને ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં આપખુદ સત્તાની સામે સફળ વિરેધ કરવાના એક સાધન તરીકે વાપરવાનું કામ તે! તે જ વ્યક્તિય. થઈ શકે તેમ હતું કે જેની નસેનસમાં અહિંસા જ વહેતી હાય અને સાથે સાથે જેનામાં રાજ્ય કરતી સત્તાના જુલ્મ, ત્રાસ, અન્યાય સામે દખાયેલી પ્રજાનું પરિત્રાણ કરવાની અનિવાય વૃત્ત બળવાનપણે કામ કરતી હાય. આજ સુધી જે જે શુદ્ધ અહિં સાપરાયણ જીવન ગાળનારા સાધુ પુરુષો થઇ ગયા તે સર્વે મોટા ભાગે અન્ય સાંસારિક તેમજ સામાજિક બાબતે માફક રાજકીય બાબતે પરત્વે પણ કેવળ વિરક્તિ ધરાવનારા જ હતા. બીજી બાજુએ જુલ્મી રાજસત્તાની ચુડમાંથી ગુંગળાતી પ્રજાને છેડવાનાર દેશદેશમાં અનેક સ્વાતં વિધાયકા થઈ ગયા કે જેના આજે પણ મુક્તક કે ગાન ગવાય છે, પણ તેઓના સામે કદી અહિંસાને આર્દશ હતા જ નહે. તેએ બળ સામે બળ વાપરવામાં માનતા અને તે મુજમ જ પેાતાની પ્રજાને દારીને તેઓએ સ્વાધીનતા-આઝાદો-હાંસલ કરી હતી. ત્યારે ઉપરની બન્ને સરતે પૂરી પાડે એવા તેા જગતના પુણ્યયેાગે ગાંધીજી જ હતા. બેરિસ્ટર તરીકે ધંધા કરવા માટે તે ગયા અને જતાંવેંતજ ત્યાં વસતી હિંદી પ્રજા ઉપર વતી રહેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy