SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ બીજુ, અહિંસાને મનુષ્યજીવન સાથે સીધો સંબંધ હોવાથી જેમ જેમ માનવજીવન પલટાતું જાય છે અને સમાજ રચના વધારે ને વધારે જટિલ બનતી જાય છે તેમ તેમ અહિંસાને લગતા ખ્યાલમાં ફેરફાર તેમ જ સુધારા તથા વધારા થતા જ જાય છે. અહિંસાનો સિદ્ધાંત એક અને સનાતન એ બરાબર, પણ તે સિદ્ધાન્ત ઉપરથી નિપજતા આચારવિચાર પલટતા જાય છે. વળી આજે એક ક્ષેત્રને અહિંસાનો વિચાર લાગુ પાડવામાં આવે તો આવતીકાલે માણસની બુદ્ધિ આવા કલ્યાણ કલ્પદ્રુપને બીજા ક્ષેત્રમાં વાવવાનો વિચાર શા માટે ન કરે? વળી જે અહિંસાથી વ્યક્તિનું પારલૌકિક શ્રેય થતું હોય તો તેનું ઐહિક શ્રેય પણ અહિંસા વડે કેમ ન સધાય ? જે અહિંસાને વ્યક્તિગત જીવન લાગુ પાડવામાં આવે તો સામાજિક જીવન ઉપર પણ શા માટે લાગુ ન પાડવી ? જે વ્યક્તિ અહિંસક બનીને પિતાની જાતનો ભોગ આપીને સમાજ કલ્યાણ સાધી શકે તો સમાજ એવી જ રીતે અહિંસક બનીને, પિતાના ટૂંકા સ્વાર્થનો ભોગ આપીને રાષ્ટ્રને ઉન્નત કેમ ન બનાવે અને એવી જ રીતે અહિંસા જે સાચા અને સનાતન સિદ્ધાંત હોય તે તેની માત્ર વ્યક્તિગત મોક્ષસાધના પૂરતી જ ઉપયોગિતા હોઈ ન શકે, પણ વ્યક્તિ તેમ સમાજના ઐહિક જીવનના સર્વ અંગઉપાંગો ઉપર પણ તે લાગુ પડવી જોઈએ, અને તેનાથી સાર્વત્રિક કલ્યાણ થવું જોઈએ. આવી રીતની વિચારસરણીમાંથી આજે ગાંધીજીના અહિંસાવાદનો જન્મ થયો છે. આજ વિચારના ટોલ્સટોય, થેરે જેવા અનેક પુરોગામીઓ થઈ ગયા છે, પણ તેને ચોક્કસ આકાર આપનાર અને આખી દુનિયાના તારણહાર તીર્થ તરીકે રજૂ કરનાર ગાંધીજી છે. આ ગાંધીવાદને વિચાર અને તેને અનુસરવા ચથતાં આપણી મર્યાદાઓને વિચાર હવે પછી કરીશું. જેવી રીતે આગળ આપણે જોયું કે માનવીમાં ભાનવતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy