SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિવરણનો અર્થ કોઈ એમ ન કરે કે આ રીતે અહિંસાના પૂર્વદષ્ટાઓ કઈ રીતે ન્યૂન હતા અથવા તે તેમની દષ્ટિ સંકુચિત હતી એમ કહેવાનું કે સૂચવવાને મારો આશય છે. કાળે કાળે યુગપુરુષો પાકે છે. જનતાના સુખકલાને પિષક સનાતન જીવનસિદ્ધાંતે રજૂ કરે છે. પિતપોતાના કાળને અપેસીને તેમાંના કેઈ એક સિદ્ધાંત ઉપર તો કોઈ અન્ય સિદ્ધાંત ઉપર વધારે ભાર મૂકે છે અને તેને અનુલક્ષીને તત્કાલીન પરિસ્થિતિને અનુરૂપ જીવનવ્યવહાર અને આચારનિયમ તારવે છે. પોતાના કાળને ઉપેક્ષાને તેઓ કાંઈ કહે એ તે બને જ નહિ. એ તો અપ્રસ્તુત આલાપ કહેવાય. પિતાના કાળને અપેક્ષીને તેમણે જે કાંઈ વિધાનો કર્યા હોય તે તે આકારમાં જ આગામી કાળને લાગુ પાડી શકાય જ નહિ. કાળની મર્યાદા “સર્વજ્ઞ–અન” સી કેઈને લાગુ પડે જ છે. ભગવાન બુદ્ધ અને મહાવીરના સમયમાં અને આજના સમયમાં કેટલે ફેર છે ? તે કાળ એ હતો કે જ્યારે સમાજની સમસ્યા આટલી બધી જટિલ નહોતી, ઊચા-નીચા ભેદ આટલે તીવ્ર નહતો, જીવનસંગ્રામ આટલે કઠણ નહોતે, એક રાજ્યનું અન્ય રાજ્ય ઉપરનું આક્રમણુ પ્રજાના ચાલુ જીવન ઉપર આજની માફક બહુ વ્યાપક અસર કરતું નહોતું, વિજ્ઞાન કેવળ બાલ્યા રસ્થામાં હતું અને તેની સંરક્ષક કે સંહારક શક્તિ નજીવી હતી. કામ ઓછું હતું, નવરાશ વધારે હતી, શહેરે ઓછાં હતા અને તે પણ આટલાં વિત નહેતા, ગ્રામ્યજીવન જ મુખ્ય સ્થાને હતુ અને એકાન્ત અને શાન્તિ પુષ્કળ હતાં. ચાલુ વાતાવરણ જ પારલૌકિક વિચાર અને ચિંતનને પિષક હતાં. સમાજવ્યવસ્થામાં આધ્યાત્મિક જીવનને મહત્ત્વનું સ્થાન હતું. આ પરિસ્થિતિમાં અહિંસાનું વધારે વ્યાપક નિરૂપણ એ કાળે સંભવિત જ બહેતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy