SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ પણ સમાજનાં વહેણ તે વહેતાં હતાં એવાં જ લગભગ વહેતાં રહ્યાં. શુદ્ધ અહિંસાશાસ્ત્રમાં સમાથી પિતાને સંબંધ ઉત્તરોત્તર કમી કરીને આધ્યાત્મિક દિશામાં આગળ વધવા ઈચ્છનાર માટે ઉત્તરોત્તર ઉચ્ચતર ગુણસ્થાનકોની સરસ આજના કરવામાં આવી હતી. પણ સમાજમાં રહેનાર માણસે કેમ વર્તવું? સમાજના અને રાજ્યસત્તાના અન્યાયો અને ત્રાસે નિવારવા માટે શું કરવું ? એક રાજ્ય અન્ય ઉપર આક્રમણ કરે ત્યારે પ્રજાજનોએ શા શા ઉપાય હાથમાં લેવા ? એ બધી બાબતે સંબંધમાં અહિંસાની દૃષ્ટિએ કશે ખુલાસે તત્કાલીન અહિંસાશાસ્ત્રમાં જોવામાં આવતો નહિ. એ વખતની અહિંસામાં માણસે હિંસા ન કરવી એ વાતની મુખ્યતા હતી પણ કોઈને રક્ષણ આપવાની કે ઉગારવાની, પીડિત, ત્રાસિત અને તિરસ્કારાયેલા વર્ગને બચાવવાની અથવા તે સમાજના કે રાજ્યના અઘટિત શાસનનો સામનો કરવાની બાબત મુખ્યતાએ નહોતી. સમાજ તે એવો જ હોય, રાજ્ય તે એમ જ ચાલે, દરેક વર્ગની ઊંચીનીચી સ્થિતિ તેમના કર્મને આધીન છે. આવું જ વલણ એ સમયની અને લગભગ આજસુધી ચાલી આવતી અહિંસાની દૃષ્ટિમાં જોવામાં આવે છે. ઊલટું જે જનધર્મ વ્યક્તિને પોતપોતાના કુટુંબ અને સમાજને પરિત્યાગ કરીને એટલે કે તે સાથે અસહકાર કરીને નિવૃત્તિમાર્ગ લેવાનું કહે છે તે જ જનધર્મ રાજ્ય અને રાજ્યાધીશને શાતિ ઈચ્છે છે. એને અર્થ એટલે જ છે કે એ બધા તંત્ર ચાલતા હોય તેમ ભલે ચાલે તું તેને સુધારનાર કોણ? તું તારું સંભાળ અને તારું આત્મકલ્યાણ કર ! આ સાર તત્કાલ પ્રરૂપિત અહિંસામાંથી નીકળતું હોય એમ લાગે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે એ અહિંસાના વિચાર પાછળ વ્યક્તિનું કલ્યાણ મુખ્યપણે જોવામાં આવે છે. અહિંસાનું વ્યક્તિગત આચરણ જરૂર સમાજકલ્યાણમાં પરિણમે છે. એમ છતાં પણ એ ઈષ્ટ પરિણામ ધ્યયેના સ્થાને નહેતું, કેવળ આનુષગિક હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy