SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ અને મૃત્યુનાં દુઃખ જોઈને કરુણપરાયણ બનેલા તેમણે જગતના લેકોને તે દુઃખચક્રમાંથી ઊગરવાને માર્ગ દર્શાવ્યા. ભગવાન મહાવીર આથી પણ આગળ ગયા અને માત્ર મનુષ્યસૃષ્ટિ નહિ, પણ પશુસૃષ્ટિ સુધી, જીવસૃષ્ટિ સુધી તેમણે અહિંસાની પરિઘરેખાને લંબાવી. એ સૂત્રની તેના વાસ્તવિક અર્થમાં ઉષણા કરી માણસે પિતાના જીવનમાં અહિંસા કેવી રીતે ઉતારવી અને સંપૂર્ણ શે આચરવી એ પ્રશ્નની અપૂર્વ ઝીણવટભરી તેમણે મીંમાસા કરી અને અહિંસક આચારનું અદ્ભુત વિજ્ઞાન રહ્યું. આ આખું અહિંસાશાસ્ત્ર વ્યક્તિને આધ્યાત્મિક મોક્ષને ધ્યેયસ્થાને રાખીને રચવામાં આવ્યું હતું. સમાજના ઐહિક કલ્યાણ અકલ્યાણની દૃષ્ટિ તેમાં ગૌણ હતી. સંસાર તે છે એવો ને એવો ચાલવાનો છે, સમાજનું ચક્ર પણ હિંસા અહિંસાના ચિત્રવિચિત્ર ચીલા ઉપર ચાલ્યા કરવાનું છે, રાજકારણનો તે પાયો જ હિંસા ઉપર જ છે. સમાજ સુધારવાની વાત કરવી તે આખરે કઠી ઘેઈને કાદવ કાઢવા જેવું છે, અનાદિ કાળથી આત્મા કર્મબંધોથી જકડાયેલા છે. તે કર્મબંધનું મૂળ રાગદ્વેષ અને તેમાંથી પરિણમતી હિંસા છે. સમાજ સાથે જેટલો ગાઢ સંબંધ તેટલા રાગષના નિમિત્તો વધારે અને તે નિમિત્તો હિંસક આચાર તરફ જ વ્યક્તિને આખરે ઘસડી જવાના. માટે જે વ્યક્તિને કર્મબંધોથી મુક્ત થઈને આધ્યાત્મિક મેક્ષ, પારલૌકિક મુક્તિ મેળવવાની આકાંક્ષા હોય તેણે સમાજ સાથેનો સંબંધ તોડી નાખવો અને દેહને અધ્યાત બને તેટલો કમી કરવો, રાગદ્વેષનાં મૂળ છેદવાં અને હિંસાને પિતાના જીવનમાંથી સંપૂર્ણ શે નાબૂદ કરવી. આ રીતે પ્રરૂપાયેલી અહિંસા એ માનવ વ્યક્તિ માટે તે એક ભવ્ય આદર્શ અને તેને પહોંચી વળવાને ગ્ય કાર્યક્રમ રજૂ કર્યા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy