SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યથા વતું તે યોગ્ય ન કહેવાય'. આ વિચારમાળામાંથી અહિંસાવૃત્તિનો ઉદ્દભવ થયો હશે. ધર્મબુદ્ધિની જાગૃતિ થઈ હશે. અનેક પશુપક્ષીઓ પણ એ કાળે નિર્દોષ જીવન ગાળતા હતાં. આજે પણ ગાળે છે. કેટલાંય પશુપક્ષીઓ એ કાળે નિરામિષ આહારી હતાં અને આજે પણ છે. આ કારણે તેમને અહિંસક કહેવાં એ વ્યાજબી નથી. પશુપક્ષીઓ સંજ્ઞાપ્રધાન પ્રાણુઓ છે. તેઓ પિતાની સંજ્ઞાના આદેશ અનુસાર હિંસા-અહિંસા આચરે છે. આ ઉપરથી તેઓ ખરી રીતે હિંસક કે અહિંસક ઠરતાં નથી. હિંસા અહિંસાને જાગૃત હૃદય અને બુદ્ધિ માત્ર માનવ જાતને જ વરેલી છે. એક જ સરખા સંયોગોમાં એક માણસ બુદ્ધિપૂર્વક માંસાહાર કરે છે, બીજે માણસ બુદ્ધિપૂર્વક નિરામિષ ભોજન સ્વીકારે છે, એક માણસ સમજી કરીને અન્ય ઉપર શસ્ત્રપ્રયોગ કરે છે. બીજો માણસ અન્યથા વિચાર કરીને કોઈ ઉપર હિંસક આક્રમણ કરતાં અચકાય છે-પાછો ફરે છે. જે જેને નિણર્ય અને તે મુજબ જેવી જેની પ્રવૃત્તિ હોય છે તે મુજબ તે માનવી હિંસક યા તો અહિંસક ઠરે છે. ઉપર જણાવ્યું એ મુજબ માનવીના માનસમાં એક વખત અહિંસક વૃત્તિને ઉદ્ભવ થયો, પછી તો તે વૃત્તિ દિનપ્રતિદિન પોષવા અને સંવર્ધિત થવા લાગી. તે જ વિચાર અને વૃત્તિના આધારે માનવી કુટુંબ અને માનવસમાજની રચના થવા લાગી. તે જ ભાવનામાંથી મોટી મોટી ધર્મસંસ્થાઓ ઊભી થવા લાગી. તે જ કલ્પનામાંથી જેમ આસપાસ વસતા માનવીઓ પ્રત્યે તેમ જ તરક વિચરતી પશુસૃષ્ટિ પ્રત્યે પણ અહિંસાની દયાની ભાવના ફેલાવા લાગી. આ અહિંસા વિકાસના ઈતિહાસનું મેટામાં મોટું સીમાચિહ્ન તે ભગવાન બુદ્ધ અને મહાવીરનો યુગ. ભગવાન બુદ્ધ જગતને માનવબંધુતાને સંદેશ આપ્યો અને માનવીના જન્મ, જરા, વ્યાધિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy