SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ વ્યક્તિના માનસમાં પડતું પ્રતિ બંબ છે. તેથી આપણે સમગ્ર જનતાને ઉત્તમ, સત્ય, સારા અને સંગીન વલણો તેમજ આવાં જે જે તવો વડે જનતાનું જીવન પોષાતું આવ્યું છે અને સુરક્ષિત રહ્યું છે, તે તે તત્ત્વોને ચાહતાં અને તે વિષે આદર ચિંતવતાં શીખવું જોઈએ. ૪. આ માનવ–સંગઠનને હાનિ પહોંચાડે તેવી દરેક બાબતનો સામનો કરવો જોઈએ. ખાસ કરીને અનિષ્ટ રૂઢિપરંપરાઓનો, નકામા અથવા તે નુકસાનકારક માનસિક વલણનો ઉચ્છેદ કરવો જોઈએ. આ સિદ્ધાંત ઉપર ચાલતાં એવો એક ઉજવળ દિવસ આવશે કે જ્યારે જાતે જર્મન તલેખક કહે છે તે મુજબ “વિગ્રહ અને વિજયપ્રાપ્તિના ક્ષેત્રમાં ખૂબ ખ્યાતિ પામેલી, યુદ્ધકળામાં પૂર્ણતાને પહોંચેલી અને યુદ્ધ ખાતર ગમે તેટલે ભોગ આપવાને ટેવાયેલી પ્રજા છાથી જાહેર કરશે કે અમે અમારી તરવારના ટુકડા કરી નાખીએ છીએ અને આખી લશ્કરી રચનાનો ઉચ્છેદ કરીએ છીએ. પૂર્ણ રીતે શસ્ત્રસજજ હોવા છતાં ઉદાત્ત હેતુથી પ્રેરાઈને અમારી. જાતને સ્વેચ્છાપૂર્વક નિઃશસ્ત્ર કરીએ છીએ કારણ કે નિઃશસ્ત્રતા જ સારી અને સ્થાયી શાંતિ સ્થાપવાનો ખરો માર્ગ છે. આજે સર્વ શસ્ત્રસજ દેશમાં જે કહેવાતી શાંતિ પ્રસરેલી જોવામાં આવે છે તે પાછળ તો કેવળ યુદ્ધનું માનસ જ ભરેલું છે. આ માનસ નથી પિતાનો કે નથી પાડોશીને વિશ્વાસ કરતું અને અમુક અંશે દ્વેષમત્સરથી અને અમુક અંશે ભયથી પ્રેરાઈને અસ્ત્રશસ્ત્રોને ત્યાગ કરવાની ચોખ્ખી ના પાડે છે. કોઈને તિરસ્કાર કરવો કે કેઈથી બીતા રહેવું એ કરતાં મૃત્યુ સ્વીકારવું બહેતર છે અને કેઈથી તિરસ્કૃત બનવું કે કોઈને ભયકાન્ત બનાવવું એ કરતાં મૃત્યુને ભેટવું બમણું બહેતર છે.” ચિ. ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy