SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ નીપજાવતા કઈ પણ નવા વિચાર કે ભાવનાની પહેલાં પૂર્વવત અનેક મનોમંથનો અને સદશ ચિત્ર વિચિત્ર તરંગે વાતાવરણમાં વહી રહેલા નજરે પડે છે. આવી રીતે આપણે ત્યાં યુદ્ધ બહિષ્કારની ભાવના મૂર્તસ્વરૂપ ધારણ કરી રહી છે. દુનિયા યુદ્ધવૃત્તિને સદાને માટે તિલાંજલિ આપે એવો સમય નજીક આવી રહ્યો છે. આજની દુનિયાની બાહ્ય પરિસ્થિતિની ઘટના પણ આ પ્રકારના માનસિક પરિવર્તનને વધારે વધારે અનુકૂળ બની રહી છે. પ્રત્યેક દિવસે માનવી માનવીની વધારે ને વધારે નજીક આવી રહ્યો છે. ટપાલ, તાર, રેડીઓ માનવીઓ વચ્ચેના વધતા જતા સમાગમને નવા નવા આકારે વધારે ને વધારે પુષ્ટ કરી રહેલ છે. રાષ્ટ્ર રાષ્ટ્રની શાખાઓ તૂટતી જાય છે. માત્ર બાહ્ય કારણોસર પણ આ દુનિયા ઉપર એક સર્વસાધારણ રાજ્યતંત્રની સ્થાપના થાય એ દિવસો આપણી સમીપ આવી રહ્યા હોય છે. માનવીએક્ય એક કાળે કલ્પનાનો વિષય હતે આજે એક નક્કર સત્યના આકારમાં આપણી સામે તે રજૂ થઈ રહેલ છે. આ બધી સમાલોચનાના સારરૂપે આપણે આટલું તારવી શકીએ છીએ કે ૧. આ પૃથ્વી ઉપર વિશ્વબંધુત્વ એ જ દિવ્ય તવ છે અને સમગ્ર નીતિવ્યવહારને પાયો છે. - ૨. માનવી બનવું એટલે એક અવ્યાહત જનતાની વાસ્તવિકપણે અનુભવ કરે. ૩. પડોશી પ્રત્યેનો પ્રેમ માનસિક આરોગ્યની નિશાની છે. સમસ્ત જનતા માટેનો સર્વસાધારણ પ્રેમ એ જનતાના આરેગ્યનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy