SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ નિકટપણે જડાયેલા અને સંકળાયેલા છે. એમ ગણતરી કરવામાં આવે છે કે ધારો કે એક માનવી યુગલને ત્રણ બાળકો હોય તે એકવીસમી પેઢીએ પાંચ વર્ષના ગાળામાં આ મૂળ માનવી યુગલને સંતતિવિસ્તાર આખી દુનિયાની માનવસંખ્યા જેટલો વિપુલ બની જાય. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે એ પાંચસો વર્ષના ગાળામાં થઈ ગયેલા માનવીઓમાં અને આપણામાં એક સમાન જીવનતત્ત્વ રહેલું છે. તેથી કઈ એક વ્યક્તિને ચોક્કસ પ્રજા કે જાતિમાં મર્યાદિત કરવી એ કેવળ બેવકુફી છે. જેવી રીતે જીવનતત્ત્વને વિચાર કર્યો તેવી જ રીતે વિચારતત્ત્વ પેઢી દર પેઢી ઊતરતું નીતરતું અને ફેલાતું જાય છે. આ દષ્ટિબિંદુથી વિચારતાં સ્પષ્ટ થશે કે માનવજાતિ સ્થૂળરૂપે કે સૂમરૂપે સળંગ વ્યક્તિત્વને ધારણ કરતું એક વિરાટ શરીર છે એ હકીક્ત સ્વીકાર્યો જ આપણે છૂટકે છે. આજ સુધીને અનુભવ આપણને શીખવે છે કે કઈ પણ નવો વિચાર કે નવી ભાવનાનો ખ્યાલ દુનિયાના જુદા જુદા ભાગમાં વસતા ભિન્ન ભિન્ન વિચારકોને એક જ સમયે સ્કુરતો જોવામાં આવે છે. કોઈ પણ વસ્તુની શોધ કોઈ એક જ શેધકના મગજમાં એકાએક ઉપજી આવતી નથી. એ જ સમયે બીજા અનેક શોધકો આ જ શોધના ખ્યાલની આસપાસ ઘૂમી રહ્યા હોય છે અને એ શોધને સ્પર્શ કરવાની લગભગ તૈયારીમાં હોય છે. આવામાં એક શોધક તે શોધની પૂરી પ્રતીતિ મેળવીને વૈજ્ઞાનિક સત્ય તરીકે રજૂ કરે છે. આવી જ રીતે નવા વિચારનો જન્મ થાય છે. જે વિચાર તત્કાલીન અનેક વિચારકોના મગજમાં ઘોળાયા કરતું હોય, તેને એક વધારે આગળ પડતે વિચારક મૂર્ત સ્વરૂપ આપે છે અને દુનિયા તેને ઝીલવા ભેગે છે. આવી રીતે દુનિયાનું મહાત પરિવર્તન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy