SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ એક જીવન્ત વિરાટ શરીર છે અને તે આખામાં એક સર્વસાધારણમાં ચેતના વ્યાપેલી છે. તે સદા પરિવર્તનશીલ અને પ્રગતિશીલ છે. એક માનવીની જીવનની માફક જુદી જુદી કાળકેટિ દરમિયાન તે વિરાટ શરીરમાં ચોક્કસ એક્કસ પ્રકારનાં વલણો ઉભવ પામે છે, માનવ જાતિના વિકાસમાં ચોક્કસ ભાગ ભજવે છે અને નિયત ભાગ સિદ્ધ થતાં તે વલણ ધીમે ધીમે ખસી જાય છે અને વિકાસ ક્રમની કેરિને સહાયક નવાં વલણો પાછાં જન્મ પામે છે. યુદ્ધ પણ આવું જ એક સમગ્ર માનવજાતિના માનસમાં વ્યાપી રહેલું પ્રકૃતિગત વલણ છે. યુદ્ધ માનવજાતિના બંધારણમાં રહેલી એક પ્રકારની સંજ્ઞા Instinct છે. પણ યુદ્ધ સંજ્ઞા છે એટલા કારણે તે સારી છે અથવા તે પ્રગતિ તરફ લઈ જનારી છે એમ ન જ કહી શકાય. પતંગિયું દીવાની ઝાળમાં ખેંચાય છે. સ્વભાવગત સંજ્ઞા તેના માટે વિપથગામિની બને છે. તે તેના વિનાશનું નિમિત્ત બને છે અને તેથી જ તે સંજ્ઞા તેને માટે વિપથગામિની બને છે. જ્યાં સુધી સૂર્ય એક જ જગતને ગરમી અને પ્રકાશ આપનાર ગોળો હતો અને અન્ય પ્રકારના અગ્નિને પરિચય જીવન્ત સૃષ્ટિને નહોતો થયો ત્યાં સુધી એ સંજ્ઞા પતંગિયા માટે પ્રાણદાયિની અને કલ્યાણકારિણી હતી પણ ત્યાર પછી તે અગ્નિનો ઉપયોગ શરૂ થયો અને રાત્રિના વખતે ઘરઘરમાં દીવાઓ પેટાયા. આમ છતાં પતંગિયાઓને દીવાઓના અસ્તિત્વ સાથે પિતામાં રહેલી પ્રકાશ તરફ સદા ખેંચાતા રહેવાની સંજ્ઞાને અનુકૂળ કેમ બનાવવી તે કદી ન સૂઝયું. આસપાસની પરિસ્થિતિ પલટાણી અને વિકસી, પણ પતંગિયાની સંજ્ઞા મૂળ સ્વરૂપમાં જ કાયમ રહી. પરિણામે એ જ પ્રાણદાયિની સંજ્ઞા આજે તેના વિનાશનું નિમિત્ત બની રહી છે. એ આપણે જરૂર કબૂલ કરવું જોઈએ કે જ્યારે કેઈ પણું વયોનિમાં અમુક પ્રકરની ચોક્કસ સંજ્ઞીને જન્મ થાય છે, ત્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy