SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ રજૂ કરવામાં આવેલા યુદ્ધવિરેાધી કેટલાક મૌલિક વિચારો તફ યુરેપની દુનિયાનું ખાસ ધ્યાન ખેંચ્યું. ડે. નિકેલાઈ માત્ર ડોકટર કે વિજ્ઞાનશાસ્ત્રી નહતા પણ એક નામી તત્ત્વવેત્તા પણ હતા તેવી જ રીતે સાહિત્ય અને સમાજશાસ્ત્રના પણ તેઓ ભારે જાણકાર હતા. ડે. નિકેલાઈનું માનવું હતું કે છેલ્લા યુરોપીય વિગ્રહની જવાબદારી સર્વ પ્રજાને ભાગે પડતી જાય છે. પણ તેમને સંબંધ તે જર્મની સાથે જ હતો અને તેમણે જે કાંઈ લખ્યું હતું તે પણ પતાની પ્રજાને ઉદ્દેશીને જ લખેલું હતું. તેથી છેલ્લો વિગ્રહનેતરવામાં જર્મનીની કેટલી મોટી જવાબદારી હતી તે બાબત ઉપર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. જર્મની બોલે છે એક વાત, કરે છે બીજી વાત; સિદ્ધાન્તમાં આકાશ સુધી ઊડે છે, વ્યવહારમાં કેવળ ભૌતિક બની બેસે છે. તત્ત્વચિન્તનના પ્રદેશમાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપે છે, રાજ્યકારણના વ્યવહાર ક્ષેત્રમાં એ આખું વાણીસ્વાતંત્ર્ય ઝુંટવી લે છે. જર્મનીની આવી શોચનીય પરસ્પર વિરોધી પરિસ્થિતિ તરફ જર્મન પ્રજાનું તેમણે ખૂબ ધ્યાન ખેંચ્યું, પરિણામે તેમને વર્ષો સુધી જેલવાસ ભોગવવો પડયો. - તેમના ઉપર જણાવેલા સારને મ. રોમા રોલાએ પોતાના “Forerunners” નામના પુસ્તકમાં પ્રગટ કર્યો હતો. એ લેખ ઉપરથી શ્રી મહાદેવભાઈએ હિન્દુસ્તાનને વર્તમાન યુદ્ધ સાથે કેવા પ્રકારનો સંબંધ હોઈ શકે તે પ્રશ્નને ઉદ્દેશીને અને ખાસ કરીને અંગ્રેજ સરકારને અમુક શરતો ઉપર આજના યુદ્ધમાં સહકાર આપવાને લગતા મહાસભા સમિતિના પુનાના ઠરાવને લક્ષમાં રાખીને પ્રસ્તુત લેખ– war : a stage outgrown” લખ્યું હતું. એ લેખ ઉપરથી હે. નિકેલર્જીના સૈદ્ધાતિક વિચારોનું સળંગ નિરૂપણ તાસ્વીતે નીચેને લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ' સરખી જનતા એ રાગ ભક્તિત્વ ધરાવતી સંસ્થા છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy