SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ વૈજ્ઞાનિક માન્યતાના તથ્થાતથ્ય સાથે સંબંધ નથી. દા. ત. પૃથ્વી સપાટ હોય કે ગોળ હોય તેને અહિંસા, સત્ય આદિ આચારનિયમો સાથે કોઈ સંબંધ નથી. આવી જ રીતે વિશ્વની કલ્પના જૈન ધર્મની માન્યતા મુજબ ચૌદ રાજલકની હોય કે આધુનિક ખગોળ, અનુસાર અન્ય પ્રકારની હોય તેને પણ જીવનનો ઉત્કર્ષ સાધવા. માટે આવશ્યક એવા યમનિયમના અનુપાલન સાથે કોઈ સંબંધ નથી. વિજ્ઞાનને મુખ્ય સંબંધ ભૌતિક જગતના સ્વરૂપ સાથે કુદરતના નિયમોની ખોજ સાથે, ભૌતિક જીવનના વિકાસક્રમ સાથે રહેલો છે. ધર્મનો સંબંધ જીવનના ઘડતર સાથે, યમનિયમના. અનુપાલન સાથે, આચાર અને વ્યવહારની વિગતો સાથે છે. એકનું ક્ષેત્ર અન્યથી એટલું બધું અલગ અને સ્વતંત્ર છે કે એકની અન્ય. સાથે અથડામણ કેમ થાય એ એકાએક સમજણમાં આવતું નથી. હકીકતમાં એમ છે કે પહેલાં જ્ઞાનવિજ્ઞાનની શાખાપ્રશાખાઓ જુદી પાડવામાં આવી નહોતી, વિજ્ઞાન સાથે સીધો સંબંધ ધરાવતી અનેક બાબતોને લગતાં શાસ્ત્રોનો ધર્મશાસ્ત્રોના પેટાળમાં સમાવેશ કરવામાં આવતો હતો. અને તેમાં જે કાંઈ નિરૂપણ કરવામાં આવ્યું હોય, સિદ્ધાંતે રજૂ થયા હોય તે સર્વને સર્વજ્ઞકથિત તરીકે લેખવામાં આવતું હતું. આજે આમાં કેટલાંયે વિધાનો, કેટલાય સિદ્ધાંત અદ્યતન વૈજ્ઞાનિક શાસ્ત્રોના પરિણામે ખોટા ઠરતાં માલૂમ પડે છે. અહીં શ્રદ્ધાળુ લોકોના દિલમાં દ્વિધા પેદા થાય છે. આ બે પરસ્પર વિરેાધી. વિધાનો યા સિદ્ધાંતમાં કોને સાચાં માનવાં, કેને ખોટાં માનવાં ? એક બાજુએ સર્વજ્ઞકથિત વસ્તુને ખોટી કેમ કહેવાય ? બીજી બાજુએ પ્રત્યક્ષ પ્રમાણના આધારે તારવામાં આવેલા વૈજ્ઞાનિક સિદ્ધાન્તોને અને શેધોને પણ ખોટી કેમ કહેવાય ? આ ગૂંચનો નિકાલ તે જ આવે કે જે સર્વજ્ઞત્વને લગતી કલ્પનાનું સંશોધન કરવામાં આવે, અને તેને લગતા ભ્રમોથી મનને મુક્ત કરવામાં આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy