SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યાવર્તન સંક્રાતિકાળ આર્યાવર્તના ઈતિહાસમાં આ અસાધારણ સંક્રાન્તિકાળ છે. જ્યારે ભગવાન વીર સમયથી અત્યાર સુધી લંબાતા કાળપટ પર લખાયેલાં ઐતિહાસિક અવનવાં ચિત્રો પર નજર કરીએ છીએ ત્યારે ભારતવાસીઓના બાહ્ય અને આન્તર જીવનમાં કેટલે ફેરફાર થતો જાય છે તેમજ પ્રાચીન યુગની ભાવના કેટલાં રૂપાન્તર સ્વીકારતી જાય છે તેને કાંઈક ખ્યાલ આવે છે. અંગ્રેજી રાજ્યના આરંભથી. આર્યાવર્તના રૂઢિપ્રિય જીવનમાં પાશ્ચાત્ય સંસ્કૃતિ પ્રવેશ પામી અને તેનું રાજા રામમોહનરાયમાં પ્રથમ દર્શન થયું. વર્તમાનકાળે આપણી આસપાસ જે વાતાવરણ ઊભું થયું છે તેમાં નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિનાં આંદોલને અધિક પ્રમાણમાં અનુભવાય છે. સમષ્ટિઅનુસરણ ઉપેક્ષા પામી વ્યક્તિ સ્વાતંત્ર્ય સવિશેષ પ્રોત્સાહન પામે છે, મનુજર્હદયમાં શ્રદ્ધા ગૌણ પદને ધારણ કરે છે, પ્રજ્ઞા પ્રધાનપદને પામે છે. સામાજિક ભાવનાઓ પણ એવા જ વિપર્યય પામી રહી છે. પુરુષ પરમેશ્વર અને સ્ત્રી સેવિકા મનાવાના સ્થાને બન્ને એકમેકની ખોટ પૂરનારાં અને શેભા વધારનારાં જીવનરથનાં અપરિહાર્ય સહચરો મનાતાં જાય છે. પરદેશગમન વધતું જાય છે અને જ્ઞાતિબંધને શિથિલ થતાં જાય છે. એક વખત સ્થિતિસંતોષ ધર્મ મનાતે; અત્યારે સ્વસ્થિતિથી અસંતોષ પ્રગતિનું મૂળ લેખાય છે. ધર્મ અને જ્ઞાતિઓના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy