SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ મૂતિ શા માટે રાખી છે? તેમણે આ પ્રશ્નનો વિસ્તારથી ખુલાસો કર્યો. તેમણે જણાવ્યું કે, આ પ્રકારની યુગલપ્રતિમાનું નિર્માણ અને આરાધના હિન્દુ તંત્રશાસ્ત્ર તેમ જ બૌદ્ધ તંત્રશાસ્ત્રમાં કંઈ કાળથી પ્રચલિત છે. એમ છતાં હિંદુ તંત્રશાસ્ત્રમાં આ યુગલપ્રતિમાનું જે interpretation-ખુલાસો કરવામાં આવે છે, તેથી બૌદ્ધ તંત્રશામાં કરવામાં આવતું interpretation-ખુલાસો તદ્દન જ જુદા પ્રકારની છે. * હિન્દુ તંત્રશાસ્ત્ર પ્રમાણે શિવ અને શક્તિના સંગમાંથી આ આખા વિશ્વને પ્રાદુર્ભાવ થયો છે. તેમાં શિવ દ્રષ્ટા છે, અકર્તા છે; શક્તિ સમગ્ર પ્રક્રિયાનું મૂળ છે, કર્તા છે, ક્રિયાધાર છે. આ પ્રતિમામાં જે પુરુષરૂપે છે તે શિવ છે એટલે કે એ વિશ્વને passive male principleઅક્રિયાત્મક પુરુષત્વછે. અને આ પ્રતિમામાં જે સ્ત્રીરૂપે છે તે વિશ્વનો active female principle_ક્રિયાત્મક સ્ત્રીતત્વ છે. સાંખ્યદર્શનમાં પ્રરૂપાયેલ પુરુષ અને પ્રકૃતિનું સાયુજ્ય આ શિવશક્તિના સાયુજ્યને જ કલ્પના પર્યાય છે. પણ બૌદ્ધ ધર્મમાં કે બૌદ્ધ તંત્રશાસ્ત્રમાં આવા શિવશક્તિના કે પુરુષપ્રકૃતિના સાયુજ્યની અને તેના સંગની અને તેમાંથી થતા સમગ્ર વિશ્વના ઉદ્ભવની તેમ જ સંચાલનની કલ્પનાને કોઈ સ્થાન નથી. હિંદુ તંત્રશાસ્ત્રમાં આવી પ્રતિમાની આરાધના દ્વારા શક્તિની ઉપાસના કલ્પાયેલી છે. બૌદ્ધધર્મ શક્તિલક્ષી નથી, પણ જ્ઞાનલક્ષી છે. , “બૌદ્ધ તંત્રશાસ્ત્ર પ્રમાણે આવી યુગલપ્રતિમા “પ્રજ્ઞા” અને ઉપાયને સંગમ સૂચવે છે. પ્રજ્ઞા એટલે જ્ઞાન. તેની અન્તિમ કોટિ એટલે જેમાંથી આ વિશ્વ પ્રાદુર્ભાવ પામ્યું છે અને જે આ વિશ્વથી પર છે અને જેને બૌદ્ધ પરિભાષામાં “શૂન્યતાશ દથી ઓળખાવવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy