SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ આવે છે તે શૂન્યતાની પ્રતિપત્તિ-સાક્ષાત્કાર. આ સ્થિતિને “પ્રજ્ઞાપારમિતા'ની સ્થિતિ તરીકે બૌદ્ધ પરિભાષામાં ઓળખાવવામાં આવે છે. તેનો અર્થ પારને પામેલી પ્રજ્ઞા–ઉત્કૃષ્ટતાની કટિએ પહેચેલી પ્રજ્ઞા.' અને બીજુ તત્ત્વ “ઉપાય” ઉપાય એટલે પ્રેમ અને કરુણારૂપી. સાધન. આ વડે જ પ્રજ્ઞાની સિદ્ધિ શક્ય બને છે. ઉપરની યુગલપ્રતિમામાં જે નારી છે તે પ્રજ્ઞાનું પ્રતીક છે અથવા તો passive female principle–અક્રિયાત્મક સ્ત્રોતd-છે. અક્રિયાત્મક એટલા માટે કે જ્ઞાનપ્રાપ્તિમાં કશું કરવાપણું હોતું નથી, માત્ર પ્રત્યક્ષનું જાણવાપણું જ હોય છે. અને ઉપરની યુગલપ્રતિમામાં જે પુરુષ છે તે ઉપાયનું પ્રતીક છે અથવા તે active dynamic male principle–ક્રિયાત્મક પુરુષતર–છે. ક્રિયાત્મક એટલા માટે કે પ્રેમ-કરુણારૂપ ઉપાયમાં હંમેશાં ક્રિયાકારિત્વ રહેલું છે. “આ બન્નેનો સતત વિકાસ એ જ પૂર્ણવની પ્રાપ્તિ તરફ લઈ જતી સાચી પ્રક્રિયા છે. પ્રેમ વિનાનું જ્ઞાન, કરુણા વિનાની તર્કશીલતા, તેનું પરિણામ સ્થગિતતામાં-આધામિક અવસાનમાં આવે; જ્યારે જ્ઞાન વિનાને પ્રેમ, તર્કશીવતા વિનાની કરુણા, તેનું પરિણામ વ્યામોહમાં બુદ્ધિનાશમાં આવે. પણ જ્યારે બન્ને એકમેકને વીંટળાઈને પરસ્પર વિકસતાં ચાલે છે, જયારે મસ્તિષ્ક અને હૃદયની, કરુણું અને બુદ્ધિનો, ઉત્કૃષ્ટ પ્રેમ અને ગૂઢતમ જ્ઞાનનો સંગમ-સમન્વય થાય છે ત્યારે જ વિકાસની સાચી સીડી પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા પૂર્ણતાની પરમ કાદિએ પહોંચાય છે; અપૂર્વ તેજ વડે ઝળહળતા જ્ઞાનસૂર્યને અન્તરતમ પ્રદેશમાં ઉદય થાય છે; ન કલ્પી શકાય, ન વર્ણવી શકાય એવા આનંદનો અનુભવ થાય છે. આ આનંદને ખ્યાલ શી રીતે આપવો ? આ ખ્યાલ આપવા માટે સ્ત્રીપુરુષના ભૌતિક મિલનમાં કલ્પાયેલા આનંદાતિરેકને એક પ્રતિકરૂપે આગળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy