SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ એટલે આત્મવિદ્યા. આત્મવિદ્યામાં જિજ્ઞાસુ પિતાના વૈયક્તિક સ્વરૂપ ઉપરાંત સર્વગત યા સર્વસાધારણ પરમાત્મસ્વરૂપને પણ જાણવા તલસે છે. શંકરાચાર્ય ઉપનિષદના શબ્દને જ અનુસરી અર્થ કરતાં કહે છે કે હું મંત્રવિદ્ અર્થાત કવિ છું યા હું સાર્થિક વેદ ' આદિ અપરા વિદ્યાઓ જાણું છું પણ આત્મવિદ્દ નથી. અર્થાત પરા વિદ્યાથી અનભિજ્ઞ છું. રામાનુજ અપરા વિદ્યાને શાબ્દિક અર્થ ન લેતાં પરોક્ષ વિદ્યા એવો ભાવ તારવી પરા વિદ્યાને અપક્ષ જ્ઞાને અર્થમાં લે છે. ગમે તે અર્થ લઈએ પણ વાત છેવટે એ જ ફલિત થાય છે કે પ્રથમ અપરા વિદ્યાઓ ખેડાઈ જેમાં આત્મજ્ઞાનનું મુખ્ય લક્ષ્ય ન હતું ત્યાં ઓછામાં ઓછું હતું અને પછી જ જિજ્ઞાસુ વર્ગ પરા વિદ્યા ભણી વળો અર્થાત વધારે ને વધારે પોતાના અને પરમાત્માના સ્વરૂપને તેમજ એના સંબંધને જાણવા અનુભવવા ભણી વળ્યો. માનવ-જિજ્ઞાસા અને એના એના પ્રયત્નની વિઘાયાત્રાને પરિણામે એણે ત્રણ વિષયોનું ખેડાણ કર્યું. એ જ વિષય જગત, જીવ ઈશ્વર રૂપે દર્શનાવિદ્યાના મુખ્ય પ્રતિપાદ બન્યા છે. ઉક્ત ત્રણ વિષયનું ખેડાણ અનેક પુરુષોએ જુદા જુદા ક્ષેત્રમાં અને જુદે જુદે કાળે કર્યું છે. દરેકનાં શક્તિ, ભૂમિકા, દષ્ટિ અને સાધન પણ એક સરખાં નથી રહ્યા. તેથી સત્યશોધનો આગ્રહ એક સરખો હોવા છતાં એ શેધનાં પરિણામે એક સરખાં આવેલાં નથી દેખાતાં. આને લીધે જ આપણે જોઈએ છીએ કે બાહ્ય જગતના તેમજ અંતરાત્મા અને પરમાત્માના સ્વરૂપને પર અનેક પ્રસ્થાનો પ્રવૃત્ત થયાં છે. આ પ્રસ્થાનોમાં દેખીતી રીતે અને કેટલીક વાર તાત્ત્વિક રીતે ભેદ દેખાય છે, છતાં એ બધાંમાં અંતર્ગત મુખ્ય સૂર એ લાગે છે કે દરેક પ્રસ્થાન સત્ય સિવાય બીજા કશાની આકાંક્ષા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy