SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૭ કૅમ્બ્રીજ આવ્યા. અહીં તત્ત્વજ્ઞાનનું સાહિત્ય વાંચતાં વાંચતાં તે પૌર્વાત્ય તત્ત્વજ્ઞાનના સંપર્કમાં આવ્યા. તે પ્રકૃતિથી ચિન્તનપરાયણ હતા અને જીવનના પ્રાર્`ભકાળથી તેમનામાં સંસાર પ્રત્યે વિરક્તિ હતી. અને આ અશૂન્ય લાગતા સંસારપ્રવાહ પાળ રહેલા કા અને સત્યને શોધવા તેમનું ચિત્ત મથી રહ્યું હતુ. ભૌતિક મહત્ત્વાકાંક્ષાઓનું તેમને જરા પણ પ્રલેોભન નહે।તું. ભારતીય દર્શોનસાહિત્યને પરિચય વધતાં તેઓ ભારતીય સ ંસ્કૃતિ તરફ ખૂબ આકર્ષાયા. ૧૯૨૧માં લખનૌ યુનિવર્સિટીના એ વખતના વાઇસચેન્સેલર ડૉ. ચક્રવતી અને તેમનાં પત્ની યશોદામા ઇંગ્લાંડ ગયેલાં, તે વખતે તે બન્નેના સમાગમમાં તેઓ આવ્યા, અને તેમની સાથે જ નિક્સનનું હિન્દુસ્તાન આવવાનું બન્યું. લખનૌ યુનિવસિટીમાં તેઓ એક અધ્યાપક તરીકે નિમાયા. ચક્રવર્તી કુટુંબ સાથેને તેમને પરિચય ચાલુ રહ્યો. ભારતમાં આવ્યા બાદ શરૂઆતમાં તે બૌદ્ધધર્મી તરફ ખેંચાયા; તે ધના અભ્યાસ તરફ તેઓ વળ્યા. હિંદી, સંસ્કૃત તેમ જ અંગાળી ભાષા પણ તેમણે શીખી લીધી. વેદ, વેદાંત, પુરાણ, ભાગવત તેમ જ તંત્રશાસ્ત્ર તથા જૈન દર્શન વગેરે વિયેામાં તેમણે સારી જાણકારી પ્રાપ્ત કરી. આખરે વૈદિક ધર્મ અને તેમાં પ્રરૂપવામાં આવેલ ભક્તિમાર્ગ ઉપર તેમનું ચિત્ત સદાને માટે સ્થિર થયું. ઉપર જણાવેલ ચક્રવર્તી કુટુંબ અત્યન્ત ધાર્મિક અને અધ્યાત્મપરાયણ હતું. ખાસ કરીને શ્રીમતી યશોદામામાં આજન્મ ઊડુ અધ્યાત્મપરાયણ વલણ હતું. કહેવાય તો એમ છે કે તેમણે પહેલી અધ્યાત્મદીક્ષા પોતાના પતિ પાસેથી લીધી હતી. યુવાન નિક્સનને યશોદાખાઈ સાથે લગભગ મા-દીકરા જેવા સંબંધ હતા. ૧૯૨૭માં લખનૌ યુનિવર્સિટીની વાઈસ-ચેન્સલરશિપથી ડૉકટર ચિ. ૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy