SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ સાયન્ટિફિક જર્નલમાં, વિવેકાનંદ લેબોરેટરી તરફથી, ૧૩૦ પેપર : પ્રગટ કરવામાં આવ્યા છે. વિજ્ઞાન અને વ્યવહારુ ખેતીના ક્ષેત્રમાં તેમણે જે મહત્ત્વનો ફાળો આપ્યો છે, તેની કદર તરીકે ભારત -સરકાર તરફથી ૧૯૫૭ની સાલમાં શ્રી બશી સેનને “પભૂષણને “ઇલ્કાબ આપવામાં આવ્યો છે. આ કાબ આજ સુધીમાં બહુ જ - ઓછી–ગણીગાંઠી વ્યક્તિઓ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ છે. તેમનું લગ્ન ગડ નામનાં એક અમેરિકન સન્નારી સાથે થયું છે. આ સન્નારી બહુ વિદ્વાન અને સંસ્કારી છે. તેમણે ભારતની સંસ્કૃતિ અને સભ્યતા વિષે પુસ્તકો લખ્યાં છે, જેની વિદ્વાનોની દુનિયામાં બહુ મોટી પ્રતિષ્ઠા છે. તેઓ પણ બેશી -સેનની સમાન વયનાં હોય એમ લાગે છે. આવું સંસ્કારી યુગલ અહીં કે અન્યત્ર મળવું બહુ મુશ્કેલ છે. બેશી સેન એક મહાન વિજ્ઞાનશાસ્ત્રી તે છે જ, પણ તે ઉપરાંત તેઓ અત્યન્ત ધર્મપરાયણ અને આધ્યામિક વલણ ધરાવતા -એક વ્યક્તિવિશેષ પણ છે. રામકૃષ્ણ મિશન સાથે તેઓ વર્ષોથી ગાઢ સંબંધ ધરાવે છે. રામકૃષ્ણ આશ્રમમાં બ્રહ્મચારી તરીકે તેઓ ઘણો સમય રહેલા, અને મિશનના પ્રમુખ–અગ્રગણ્ય સંન્યાસીઓના નિકટ પરિચયમાં આવેલા. આ ઉપરાંત દેશની મોટી લેખાતી અનેક વ્યક્તિઓના—ગોપાલકૃષ્ણ ગોખલેથી માંડીને જગદીશચંદ્રબેઝ, ગુરુદેવ ટાગોર, મહાત્મા ગાંધીજી, બાબુ રાજેન્દ્રપ્રસાદ, પં. ગેવિન્દવલ્લભ પન્ત, . રાધાકૃષ્ણન, પંડિત જવાહરલાલ નહેરુ સુધીના અનેક માનવવિશેષના—સીધા સંસર્ગમાં તેઓ આવ્યા છે. તેમના વિષે ભારત સરકારમાં તેમ જ પ્રજાજનોમાં ઊંડો આદર છે. આવી એક વિશિષ્ટ વ્યકિતને મળવાને ઉપર જણાવેલ સંયોગોમાં અમને સુગ પ્રાપ્ત થયે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy