SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ જૂનાં અને મહત્વનાં કેન્દ્રો છે. સ્વામી વિવેકાનંદ અહીં તેમ જ અહીંથી ૪૨ માઈલ દૂર પૂર્વ બાજુએ આવેલા માયાવતીમાં ઘણે * સમય રહેલા. સ્વામી વિવેકાનંદના સીધા પરિચયમાં આવેલ કોઈ વ્યક્તિ, સંભવ છે કે, આજે પણ આરામાં હયાત હોય. સ્વામી આનંદે આજથી ૩૮ વર્ષ પહેલાં આત્મારામાં રહીને ગાયત્રી પુરશ્ચરણ વ્રત કરેલું. તેમને પણ રામકૃષ્ણ આશ્રમ સાથે ગાઢ સંબંધ હતો. તેમના પરિચયને લીધે આભેરા અને રામકૃષ્ણ આશ્રમ મારા મનમાં વર્ષોથી ગાઢપણે સંકળાયેલાં હતાં. આ પૂર્વસંસ્કારને લીધે અહીં આવતાં મન કેઈ વિશિષ્ટ આનંદ અનુભવવા લાગ્યું. અહીંના મુખ્ય સ્વામીજી અપર્ણાનંદજી પાસે અમે પોણે કલાક બેઠાં. તેમના સૌહાર્દભર્યા સૌજન્યથી અમારું ચિત્ત ખૂબ રંજિત થયું. તેઓ મુંબઈથી સારા પરિચિત હતા. મુંબઈ બાજુએ ખારમાં આવેલા રામકૃષ્ણ આશ્રમમાં તેઓ ઘણો વખત રહેલા. મારા એક નિકટ મિત્ર પ્રિન્સિપાલ એસ. બી. જુન્નરકરને તેઓ સારી રીતે જાણતા હતા. તેમણે આશ્રમના જુદા જુદા વિભાગોમાં અમને ફેરવ્યાં અને રામકૃષ્ણ મિશનની ભારતવ્યાપી પ્રવૃત્તિઓ વિષે કૅટલેક ખ્યાલ આપો. તેમના કહેવા મુજબ, આમેરાના આશ્રમને મુખ્ય હેતુ નીચેના સપાટ પ્રદેશોમાં ખૂબ કામ કરીને થાકી ગયા હેય, શરીરે નબળા પડ્યા હોય, એવા મિશનના સંન્યાસીઓ અહીં આવીને રહે, આરામ કરે અને શારીરિક સ્વાસ્થ તેમજ માનસિક તાજગી મેળવીને પિતાના નિયત કાર્યક્ષેત્રમાં પાછા પહોંચી જાય એ પ્રકારનો છે. તેથી સપાટ પ્રદેશ ઉપર આવેલા આશ્રમોમાં જે વિવિધ સેવા પ્રવૃત્તિઓ ચાલે છે તેવી પ્રવૃત્તિઓનો બોજ અહીં રહેતા સંન્યાસીઓ ઉપર નાખવામાં આવતો નથી. આમ તેમની સાથે કેટલીક વાર્તા-ચર્ચા થઈ પછી અમને તેમણે પ્રસાદ આપે, જે વડે મોટું મીઠું કરીને અમે પાછાં રામકૃષ્ણ ધામમાં આવી પહોંચ્યાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy