SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ બહેને તેમની સેવા પ્રવૃત્તિ વિષે ઘણીવાર ઉલ્લેખ કરેલો. મુકતેશ્વરમાં જયન્તીબહેને પણ તેમના વિષે પ્રશંસાના ઉદ્ગાર કાઢેલા. મેં પણ તેમને નિનીતાલ તથા કૌસાનીથી અમારા એ બાજુ આવ્યાની ખબર આપતા, અમે આરા પહેચીએ ત્યારે, તેમને મળવાની ઉત્કટ ઇચ્છા વ્યક્ત કરતા પત્રો લખેલા. આ ભાઈ શાન્તિલાલ, મુંબઈથી આ બાજુ આવી ચડેલા શ્રી નવનીત પરીખ સાથે, બે દિવસ પહેલાં બેરીનાગ ગયા છે અને ત્રણ-ચાર દિવસમાં પાછા આવવાના છે એમ ભક્તિબહેને જણાવ્યું. તેઓ તેમ જ શાન્તિભાઈ મૂળ સૌરાષ્ટ્રનાં રાજકોટ બાજુનાં છે, તેથી તેમને મળતાં અમને નિકટવર્તી રવજનને મળ્યા જેવો આનંદ થયો. બીજે દિવસે સવારે અમે આભેરામાં ફરવા નીકળ્યાં. સૌથી પહેલાં અમે વિવેકાનંદ લેબોરેટરીમાં ગયાં. આ લેબોરેટરીમાં ચાલતું કામ અમારે જેવું–જાણવું હતું અને એ લેબોરેટરીના ડિરેકટર શ્રી બોશી સેનને પણ મળવું હતું. મુંબઈ પ્રદેશના મજૂરપ્રધાન શ્રી શાન્તિલાલ શાહ અમને નૈનીતાલમાં મળેલા ત્યારે તેમણે બેશી સેનને મળવા ખાસ કહેલું. અમે તેમની પાસે ગયાં. પણ તે વખતે તેઓ પોતાના મદદનીશ અને વિદ્યાર્થીઓ સાથે કામમાં રોકાયા હતા. તેથી સાંજે બની શકે તે આવવા કહ્યું. સાંજે જરૂર આવીશું એમ કહીને અમે રામકૃષ્ણ આશ્રમ તરફ ચાલ્યાં. રામકૃષ્ણ આશ્રમ આ આશ્રમ આભેરાના લગભગ બીજે છેડે આવેલ છે. ત્યાં અમે પહોંચ્યાં અને સ્વામી અપર્ણાનંદજી, જે ત્યાંના મુખ્ય વ્યવસ્થાપક છે, તેમને મળ્યાં. અહીં એ જણાવવું જરૂરી છે કે આ બાજુ આરા તેમ જ માયાવતી રામકૃષ્ણ મિશનનાં બહુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy