SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ નિવૃત્તિને–આરામને આદર કરવામાં આવે. દૈનિક જીવનનો આવો ક્રમ આપણા માટે સ્વાભાવિક લેખાવો જોઈએ. સવારનાં વહેલાં ઊઠવું, બે-ત્રણ માઈલ ફરવા જવું, આકાશમાં ખીલતા અરુણોદયને -સૂર્યોદયને ફરતાં ફરતાં કે કોઈ ઊંચા સ્થાન ઉપર સ્થિર થઈને નિહાળવો, આને જે આહલાદ છે, મન તથા શરીરને આથી જે તાજગી મળે છે, તેને સવારના સાત-આઠ અને કોઈ કાઈ કિસ્સામાં તે નવ વાગ્યા સુધી બિછાનાને નહિ છેડતા લેકેને શી રીતે ખ્યાલ આવે ? ચોવીસ કલાકના દિવસમાં હંમેશાં બે અદ્ભુત અને ગહન ઘટનાઓ બને છે. એક સૂર્યના આગમનને લગતી બીજી સૂર્યના વિસર્જનને લગતી. આ ઘટનાઓ હંમેશાં બનતી હેઈને તેનું કોઈ મહત્ત્વ સાધારણ લેકના દિલમાં હોતું નથી, પણ જેનામાં સમજણ ઊગી છે, દષ્ટિ ખૂલી છે, રસવૃત્તિ વિકસી છે, સૌન્દર્યને જાણવા અને માણવાની તમન્ના જાગી છે, તેના માટે આ બને ઘટનાઓ આધ્યાત્મિક અનુભૂતિની પ્રેરક અને ઈશ્વરાનુસંધાનની ઉત્પાદક બની શકે છે. પૂર્વ ક્ષિતિજની કેર ઉપરથી સૂર્યના લાલ બિંબને ધીમે ધીમે ઊંચે આવતું જેવા સાથે સ્થૂળ ભૌતિક દુનિયાના સ્તર ઉપરથી આપણું મન પણ ઊંચે ઊઠવા લાગે છે, અને કાંઈક અલૌકિક આપણી સામે બની રહ્યું છે, ભજવાઈ રહ્યું છે, એવું સંવેદન ચિત્તતંત્રીને કંપાયમાન કરવા માંડે છે. આ જ સૂર્યોદય અને સૂર્યાસ્ત પહાડી પ્રદેશોમાં કઈ જુદી જ વિલક્ષણતા ધારણ કરે છે. 'પાડનું ગંભીર વાતાવરણ, ધુમ્મસનાં ચાલું આવરણ-અનાવરણ, કોઈ પર્વતની કેર પાછળથી થતો સૂર્યને ઊગમ અને એવી જ રાતે અન્ય કોઈ પર્વતની પાછળ થતું તેનું વિલેપન, વાદળોના અવારનવાર થતા અવરોધોના કારણે સૂર્યકિરણોનું ચાલ્યા કરતું વક્રીકરણ અને તેના લીધે ભૂતળ ઉપર રચાતા પ્રકાશ-છાયાના નાના -મોટા વેલબુટા–આવાં આવાં કારણોને લીધે પહાડી પ્રદેશના સૂર્યોદય અને સૂર્યાસ્ત વધારે મોહક અને રોમાંચક લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy