SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ હોત, અને કદાચ ત્યાં ગયાં પણ હોત. એને માટે જે થોડાં વધારે સાધને જોઈએ તે અમારી પાસે નહેતાં અને ઊતરવા, ખાવા વગેરેની આગળથી ગોઠવણ હોવી જોઈએ તે પ્રબંધ કરવાનું પણ, બાગેશ્વરમાં હતાં ત્યારે, અમારા માટે શકય નહોતું. પિંડારી ગ્લેશિયર પહોંચતાં ત્રણ દિવસ, ત્યાં પસાર કરવાનો એક દિવસ. અને પાછા ફરવાના ત્રણ દિવસ એમ એ પ્રવાસ સાત દિવસમાં પૂરે કરી શકાય છે. બાગેશ્વર સુધી ગયાં અને પિંડારી ન જવાયું એમ મનમાં રહી ગયું. સમય-સંગની અનુકુળતાએ બાગેશ્વર, ફરીને જવું અને પિંડારી સુધી પહોંચીને સમીપસ્થ ત્રિશુલ, નંદાદેવી એને નંદાકેટનાં દર્શન કરવાં–આવી કામના મનમાં રહી ગઈ છે; એ પૂરી થશે કે કેમ એ તે વિધાતા જાણે. પિંડારી ગ્લેશિયરની પૂર્વ બાજુએ અને વિશેષ ઉત્તરમાં, બાગેશ્વરથી ૮૧ માઈલ દૂર, એક બીજે જાણીતે ગ્લેશિયર છે, જે મિલામ ગ્લેશિયર'ના નામથી ઓળખાય છે. આ ગ્લેશિયર ભારત અને તિબેટની સરહદ ઉપર આવેલો છે. પિંડારી જેટલે આ ગ્લેશિયર જાણતો નથી; ત્યાં જવાનો માર્ગ પણ વધારે વિકટ છે; પણ બીજી રીતે પિંડારી કરતાં મિલામ ગ્લેશિયર વધારે વિશાળ છે અને ત્યાં પહોંચતાં માર્ગમાં આવતા પ્રદેશો વધારે મનહર અને રોમાંચક છે. બનેની ઊંચાઈ લગભગ સરખી છે. ત્યાં પણ આજકાલ અનેક પર્વતારાહી મંડળીઓ જવા લાગી છે. આ ઉપરાંત માનસ સરોવર, કૈલાસ આદિ હિમાલયની બીજી બાજુએ આવેલાં સ્થળોએ પણ અહીંથી જવાય છે—જોકે સાધારણતઃ આલ્મોરાથી પૂર્વ બાજુએ આવેલા પાતાલભૂમેશ્વર અને બેરીનાગ અથવા તો પિઠોરાગઢની બાજુએ થઈને પ્રવાસીઓ અને યાત્રિકો કૈલાસની માન સરોવરની યાત્રાએ જાય છે.. વળી પાછાં કૌસાનીમાં આમ અમારી પાસે જે સમય હતો તે સમય દરમિયાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy