SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ હિમાલયના ઉત્તુંગ વિભાગોમાં આ જોવા મળતો નથી, જ્યારે અહીં ઢગલાબંધ આંબાઓ હતા. અહીં આપણે પ્રદેશ માફક રૂ પણ પેદા થતું જોયું અને તેનું ઉત્પાદન વધારવા માટે ઘણો અવકાશ છે એમ લાગ્યું. પિંડારી ગ્લેશિયર બાગેશ્વર હિમાલયના હિમપ્રદેશ તરફ જવાનું એક બહુ જાણીતું પ્રવેશદ્વાર છે. અહીંથી પિંડારી ગ્લેશિયર તરફ અનેક પ્રવાસીમંડળીઓ જાય છે. હિમશિખરો સાથે સીધો સંબંધ ધરાવતા ગ્લેશિયરમાં આ પિંડારી ગ્લેશિયર સૌથી વધારે નજીક છે. અહીંથી કપટ ૧૪ માઈલ, હારખેત આગળ ૯ માઈલ, ધાકરી આગળ ૬ માઈલ, ખાતી આગળ ૫ માઈલ, વાલી આગળ ૭ માઈલ, કુકીએ -આગળ ૩ માઈલ, અને ત્યાંથી ૧૨૦૦૦ થી ૧૩૦૦૦ ફીટ ઊંચાઈએ આવેલ પિંડારી ગ્લેશિયર આગળ ૩ માઈલ–એમ બાગેશ્વરથી પિંડારી ગ્લેશિયર કુલ ૪૭ માઈલના અન્તરે આવેલું છે. એ ગ્લેશિયરની લંબાઈ લગભગ બે માઈલ છે અને પહોળાઈ ૩૦૦ થી ૪૦૦ વાર છે. પશ્ચિમમાં ત્રિશુલ (૨૨૫૦૦ ફીટ), પૂર્વમાં નંદાકટ (૨૨૫૦૦ ફીટ), અને એ બેની વચમાં ઉત્તરે નંદાદેવી (૨૫૬૪૫ ફીટ)-એકમેકને લગભગ અડીને ઊભેલા આ ત્રણ મહાન હિમપર્વતના ખોળામાં બારે માસ હિમથી છવાઈ રહેલે આ ગ્લેશિયર પર્વતારોહણના રસિયાઓ માટે એક અનિવાર્ય આકર્ષણને વિષય છે. મુંબઈ પ્રદેશના મજૂર પ્રધાન શ્રી શાન્તિલાલ શાહ સહકુટુંબ આ ગ્લેશિયર સુધી પ્રવાસ કરીને પાછા ફરતાં રામને નૈનીતાલ મળ્યા હતા, અને તેમની પાસેથી પિંડારી ગ્લેશિયર વિષે કેટલીક વિગતો જાણવા મળી હતી. અમને આગળથી આ બાબતને પૂરે ખ્યાલ હોત તો, અમારા પ્રવાસક્રમમાં પિંડારી ગ્લેશિયરને સમાવેશ કરવા જરૂર પ્રયત્ન કર્યો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy