SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ અને આવી અનુભૂતિ જે અન્યને થાય તે મને કેમ ન થાય એવો પ્રશ્ન અત્તરમનને પીડતે અને એની ખોજ પાછળ મન દોડતું. આ માટે મન શાન્ત બનવું જોઈએ, સ્વસ્થ બનવું જોઈએ, સ્પન્દનહીન બનવું જોઈએ-આમ અંદરથી જવાબ મળતો અને તે મુજબ મનની સ્થિતિ પ્રાપ્ત કરવા હું પ્રયત્ન કરતા. પણ એ પ્રક્રિયા પ્રયત્નની કક્ષાથી વધારે આગળ વધતી નહતી. ઉપર જણાવ્યું તે પ્રકારનું મન હજુ મારા માટે કલપનાનો વિષય જ છે, અનુભવનો વિષય બન્યો નથી, એમ મને લાગતું.: ઉપર સૂચવી તેવી આધ્યાત્મિક અનુભૂતિ પણ, તેનું જે રીતનું વર્ણન કરવામાં આવે છે તે પ્રકારની, હજુ મારા માટે પ્રત્યક્ષ અનુભવને વિષય બનેલ નથી. બનવા જોગ છે કે એવી અનુભૂતિ માગી-ઈચછી નહિ મળતી હોય. એ પણ કોઈ કાળે, એના અનુભવીએ કહે છે તેમ, ઈશ્વરકૃપાની કોઈ સુભગ ઘડીએ સહજપણે અંદરથી સ્કુરતી હશે. આ રીતે ચાલતા ચિન્તનનું આધ્યાત્મિક અનુભૂતિ જેવું કોઈ નક્કર પરિણામ તે નહેતું આવ્યું, પણ બીજી રીતે મન ઊંડી સમતા, તટસ્થતા, શાન્તિ, પ્રસન્નતા અનુભવતું હતું. વળી, આ એકલતામાં સહજ અન્તર્મુખ બની જવાતું, પિતાની જાતનું નિરીક્ષણ શરૂ થતું અને આત્મીય ગુણદોષના પૃથક્કરણની પ્રક્રિયા સહજપણે ચાલુ થતી. ઘણીવાર કશા જ વિચાર કર્યા વિના મૌનપૂર્વક બેસી રહેવામાં અને સામેના વિસ્તીર્ણ ગિરિપ્રદેશે નિહાળ્યા કરવામાં કઈ જુદો જ આનંદ અનુભવા. આવી ઘટ્ટ શાન્તિથી ભરેલા, મધરાત પછીના સમયે બધું જ કાંઈ અતિગૂટ–ગહન-mysterious લાગતું અને તે સંવેદનના પરિણામે ચિત્ત અવર્ણનીય મુગ્ધતા અને સ્તબ્ધતાની સંમિશ્ર લાગણી અનુભવતું. આમ, બૌદ્ધિક તર્કવિતર્કના ચકડોળમાં ભૂતકાળને વીંધતાં અનેક સ્મરણોના આરોહઅવરહમાં, કદી ચિન્તા અને વ્યગ્રતા, કદી આનંદની ઉત્કટતા અને સમભાવની સ્વસ્થતા આવા વિવિધ પ્રકારના માનસિક વિહારમાં– આધ્યાત્મિક મન્થનમાં–મધ્યરાત્રીના બે-ત્રણ કલાક પસાર થઈ જતા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy