SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ અને પછી આંખે ઘેરાતી એટલે કાઈ આઁડી સ્વસ્થતાના સુખદ અનુભવપૂર્ણાંક અંદર બિછાના ઉપર શયનવશ બનતા અને અનિદ્રામાં અને અસ્વપ્નમાં અવશેષ રાત્રી વ્યતીત થતી. વૈજનાથ આ પ્રવાસ નૈતીતાલ, રાણીખેત, કૌસાની તથા આજ્ઞેારા એ ચાર સ્થળાને મુખ્યતા આપીને અમે ગાઠવ્યા હતા અને સાથે સાથે આ દરેક સ્થળથી નજીક-દૂરનાં વિશિષ્ટ સ્થાને પણ અને તેટલાં જોઈ લેવાં એ પણ્ અમારું લક્ષ્ય હતું. આ રીતે કૌસાની આવ્યા છીએ તેા કૌસાનીથી ૧૨ માઈલ દૂર આવેલ વૈજનાથ અને ત્યાંથી ૧૨ માઈલ દૂર આવેલ બાગેશ્વર જોઈ લેવું એમ અમે નક્કી કર્યુ” હતું. આ પટન માટે ખાગેશ્વર એક રાત રહેવાનું આવશ્યક હતું.... આ કાર્યક્રમ મુજબ અમે મે માસની ૩૦મી તારીખ અને શુક્રવારે બપોરે કૌસાનીથી ખસમાં ઊપડયાં. કૌસાનીથી વાંકાચૂકા ઢાળાવ ઉપરથી પસાર થઈ રહેલી અમારી બસ આખા પત ઊતરીને ગરુડ નામના ગામ પાસે અટકી. એ બાજુ પહાડમાં વસતા લાકો માટે ગરુડ ચાલુ જરૂરિયાતની ચીજો મેળવવા માટે એક મહત્ત્વનું મથક છે. અહીંથી બદ્રીનાથ-કેદારનાથ જવું હોય તો કેડીએ કેડીએ જઈ શકાય છે. પર્વતમાં ઘૂમવાના શોખીને અને સાહસિકા આ કેડી ઉપર થઈ ને બદ્રીનાથ-કેદારનાથની યાત્રા કરી આવે છે. અમારી આ ખસ આગળ જતી ન હેાવાથી લગભગ એક માઈલ દૂર આવેલા વૈજનાથ સુધી અમારે ચાલતાં જવાનું હતું. ગરુડથી આગળ ચાલતાં, હિમાલયના પેટાળમાં આશરે ૩૫૦૦ ફીટની ઊંચાઇએ આવેલા, વીશ-પચ્ચીશ માઈલના ક્ષેત્રફળને આવરી લેતા, વિશાળ અને માટા ભાગે સપાટ એવા મેદાન ઉપર અમે આવ્યાં. ચાતરફ આવેલાં પર્વતશિખરા જાણે કે વાદળ સાથે વાતેા કરી રહ્યાં હાય એમ લાગતુ હતું. ગરુડ અમે દોઢેક વાગ્યે પહેાંચેલાં. આગલે દિવસે સાંજે કૌસાનીમાં ભારે ગાજવીજ સાથે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy