SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ થયેલા કવિ કાલિદાસ જેવી લાગે છે. ફરક એટલે કે એ મહાકવિ હતા અને એમના ઉપર સરસ્વતીદેવીની કૃપા હતી; આપણે તે કવિએ નથી અને એવી કઈ દિવ્ય કૃપાના અધિકારી પણ નથી! એ પત્રના જવાબમાં પંડિતજીએ લખેલું કે તમારી પાસે એ પરિભાષા હોય કે ન હોય, તમારા ત્યાંનાં અનુભવો અને મર્મસ્પર્શ સંવેદને તમારા ખભે ચડીને તમને બોલાવશે અને લખાવશે. બીજા એક નિકટવર્તી મિત્રે લખ્યું કે, “વિશાળતા-vastness એટલે શું એ સમજવું હોય, પ્રત્યક્ષ કરવું હોય, તો તમે અહીં આવો અને ફરે. જેને આ જગતમાં જાણે કે કઈ છેડે જ નથી એવી વિશાળતા બે જ સ્થળોએ અનુભવી શકાય છે. ઉપર પાણી, પાણી અને પાણી સિવાય બીજું કશું જ દેખાતું નથી એવા ડુંગર જેવાં મોજાંઓ વડે ઊંચાનીચા થતા અનંતકાય મહાસાગરના ખોળામાં. ત્યાં તેમ જ અહીં માણસને સહજપણે પિતાની જાત એક ક્ષુદ્ર જતુ જેવી નાની–અલ્પ લાગે છે અને માનવી મનને ઘુમાવતા અભિમાન અને અહંકાર સ્વાભાવિક રીતે ગળી જાય છે, અને દિશા અને કાળથી અનવછિન્ન એવા વિરાટ વિશ્વની તેને કાંઈક ઝાંખી થાય છે. આમ લખાતા પત્રોની હારમાળા ચાલતી રહી અને તને–તમને મેં અહીં યાદ ર્યા છે, એમ મારા પ્રેમપાત્ર દરેક સ્વજનને પત્ર દ્વારા જણાવતાં મેં ઊંડે સંતોષ અનુભવ્યો. કૌસાનીમાં પસાર કરેલી સુભગ રાત્રિએ અહીં દિવસ કરતાં રાત્રિ વધારે ગંભીર અને ગહન લાગતી. અહીં અમે શુકલ પક્ષની સાતમ-આઠમે આવ્યાં હતાં, તેથી દિનપ્રતિદિન ચંદ્રની કળા વધતી જતી હોવાના કારણે દરેક રાત્રિ વધારે ને વધારે રોમાંચક બનતી જતી હતી. અમે ઘણું ખરું સાંજના જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy