SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ કશી અપેક્ષા વગર, પછાત પહાડી બહેનોના ઉદ્ધારનું તેઓ જે કાર્ય કરી રહ્યાં છે તે જોઈને અમે વિસ્મય, આનંદ અને આદરની, લાગણી અનુભવી. અમે તેમની રજા લીધી અને લાંબો રસ્તો કાપીને ગંગા કુટિર આવી પહોંચ્યા. તેમની મધુર સેવાભાવનીતરતી આકૃતિની, તેમની સૌમ્ય સુરૂપ તેજસ્વી મુખમુદ્રાની મારા સ્મરણપટ ઉપર પડેલી છાપ આજે પણ એટલી જ જીવન્ત છે. કૌસાની આવતાં પાંચેક માઈલ પહેલાં ચોદા આવ્યું હતું. અહીં ગાંધી આશ્રમ છે અને તેના કાર્યકર્તાઓ સાથે અજીતભાઈને -સારે પરિચય હતો તેથી તેમને મળવા તથા આશ્રમની પ્રવૃત્તિ જેવા માટે અમે એક દિવસ સાંજે ચનદા જવા નીકળ્યા. કૌસાનીના બસ સ્ટોપ સુધી પહોંચ્યા બાદ ચખોદા જવાને એક ટૂંકો રસ્ત-બ્રાઈડલ પાથ–પાકી સડકની ડાબી બાજુ તરફ છૂટો પડે છે. આ રસ્તે ત્રણ માઈલ ચાલતાં ચનદા પહોંચી જવાય છે. ચૌબટિયાથી રાણખેત જવાન ટૂંકા માર્ગ જે આ પણ ચાલુ ઉતરાણવાળો ભાગ હતે. આખે રસ્તે અને ઉપરનીચે ચીડ અને એવાં જ બીજાં વૃક્ષો ઊગેલાં - હતાં. તેમાંથી પસાર થતી પવનલહરીઓનો મર્મરધ્વનિ કર્ણને અત્યન્ત મધુર લાગતો હતો. દૂર કેસી નદી વહેતી હતી અને તેની પેલી પાર આવેલા પર્વતોમાં નાના ગોખલા જેવાં પહાડી ખેડૂતનાં નિવાસસ્થાને નજરે પડતાં હતાં. સૂર્ય પશ્ચિમ બાજુ ઊતરતો ઊતરતે દૂરના કોઈ વિશાળકાય પર્વત પાછળ અગોચર બન્યો હતો. કેડી ઉપર ચાલતાં ચાલતાં અમે કેસી ઉપર નાનો સરખો પુલ ઓળંગીને - ચનદા ગાંધી આશ્રમમાં પહોંચ્યાં. આપણે ત્યાં જેને ખાદી ભંડાર કહેવામાં આવે છે, તેવી જ રીતે સુતરાઉ તથા ગરમ કાપડ વેચવાનો વ્યવસાય કરતી દુકાનોને આ બાજુ “ગાંધી આશ્રમ” નામ આપવામાં આવે છે. આ ગાંધી આશ્રમ નૈનીતાલમાં તેમ જ રાણીખેતમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy