SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ સ્ત્રીઓમાં માત્ર અજ્ઞાન વ્યાપેલું છે એમ નથી, પણ તેમને નવરાશ પણ હતી નથી. તે આ દિવસ પિતાના કૃષિકામને અંગે ખેતર તથા જંગલમાં જ રહેતી હોય છે. એવી વિષમ પરિસ્થિતિમાં નવા. યુગને સંદેશે તેમની પાસે શી રીતે લઈ જવો ?” આ માટે એવો સંકલ્પ કરવામાં આવ્યો છે કે આ બાજુની છોકરીઓને આશ્રમમાં દાખલ કરતાં જે આફત ઊભી થઈ તેને ખ્યાલ આપતાં ઉક્ત પરિપત્રમાં મંત્રી સરલાદેવી જણાવે છે કે, ખ્યાલ તે એવો હતો કે નજીકનાં ગામડાંઓમાંથી દિવસના કાર્યક્રમ માટે છોકરીઓ આવશે અને કદાચ દૂરથી બે-ચાર છોકરીઓ આવી તે શ્રી પૂર્ણાનંદજીએ આપેલા લક્ષ્મી આશ્રમના મકાનમાં તેમને રાખવા માટે જગ્યા થઈ રહેશે. પણ કહેવાય છે કે પૈગંબરનો તેના પિતાના દેશમાં કોઈ હિસાબ હોતો નથી. આશ્રમમાં હરિજન છેકરીઓનો પ્રવેશ થયો કે તરત જ આસપાસની છોકરીઓએ આશ્રમમાં આવવું બંધ કરી દીધું. એમ છતાં કુમાઉંના ખૂણે. ખૂણેથી ભિન્ન ભિન્ન આર્થિક તથા સામાજિક દરજજાની છોકરીઓ. આવી અને એક કુટુંબની ભાવનાથી સૌ સાથે હળીમળીને રહેવા લાગી. ભોટથી માંડીને ભવાલી સુધી અને ભવાલીથી માંડીને પૌડી તથા ટેહરી સુધીની છોકરીઓ વસી રહી. બ્રાહ્મણ, ક્ષત્રિય, હરિજન સર્વ વર્ગની છોકરીઓ હાલ આશ્રમમાં સામેલ થઈ રહી છે.” આ આશ્રમ જેવા એક દિવસ સવારે હું અને અજિતભાઈ નીકળ્યા. અમારે ગંગાકુટિરથી કૌસાનીના બસ સ્ટોપ સુધી જવાનું હતું અને પછી સડકની બીજી બાજુએ આવેલી ટેકરી ઉપર ઠીક ઠીક ચડવાનું હતુ. આશ્રમના મકાન પાસે આવીને અમે ઉભા રહ્યા. તપાસ કરતાં માલૂમ પડયું કે ત્યાં વસતી બહેન સાથે સરલાબહેન–એ બાજુ બધા લોકો એમને સરલાબહેન તરીકે ઓળખે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy