SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઉદ્યોગ દ્વારા પિતાનું શિક્ષણ પામતાં પામતાં અને દેશની સંપત્તિ વધારતાં વધારતાં સ્વાશ્રયી છાત્રો બને. આ શિક્ષાપદ્ધતિ વડે બાળકોને શારીરિક, માનસિક તેમ જ આધ્યાત્મિક વિકાસ સંપૂર્ણ રૂપમાં થઈ શકશે એવો તેમને અભિપ્રાય હતો. બુનિયાદી તાલીમની કસોટી એ બાબતની સિદ્ધિ ઉપર થવાની કે શ્રીમન્ત દેશમાં જે ‘ઉચ્ચ કેટિની બૌદ્ધિક તથા આધ્યાત્મિક શિક્ષા તાર્કિક ઉપાયો વડે બાળકોને મળે છે તે શિક્ષા આપણા દેશના ગરીબ બાળકોને વ્યાવહારિક ઉત્પાદક કામ કરતાં કરતાં અને શીખવતાં શીખવતાં મળી જાય. આનું પરિણામ એ આવવાનું કે જીવનના દૃષ્ટિકોણમાં બાળકોને શરૂઆતથી જ શોષણ રહિત, સ્વાવલંબી, સ્વાભિમાની, -સમાજની કલ્પના પ્રાપ્ત થવાની. આથી આપણું રાષ્ટ્રીય જીવનની સામાજિક, આર્થિક, રાજનૈતિક વગેરે દરેક બાજુ ઉપર ભારે પ્રભાવ પડવાને અને સર્વોદય સમાજની કલ્પનાને કાર્યાન્વિત કરવામાં બુનિયાદી તાલીમ તરફથી પ્રબળ સહયોગ મળવાને. બુનિયાદી તાલીમમાં અનેક સંભાવનાઓ તેમ જ પરિણામોની આશા રાખવામાં આવે છે. આ કંઈ કારખાનામાં બનાવેલી, ડબ્બામાં બંધ કરેલી ચીજ નથી. દેશ, વેશ તથા નરેશની પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેનો પ્રયોગ આપણે આખા હિન્દુસ્તાનમાં ફેલાવવાનો છે. કુમાઉના પહાડોમાં દેહાતી લોકોની પરિસ્થિતિ બહુ જ પછાત છે. એ તે દુનિયાભરમાં સ્વીકૃત વાત છે કે જ્યાં સુધી સમાજમાં માતાઓના જીવનમાં પ્રકાશનો સંચાર ન થાય તથા જ્યાં સુધી પિતાનાં બાળબચ્ચાના પાલનપોષણને લગતું વ્યાવહારિક જ્ઞાન તેઓ પ્રાપ્ત ન કરે, ત્યાં સુધી કોઈ પણ દેશનું ફાલવું-ફૂલવું અસંભવિત છે. પહાડમાં વિષમ પરિસ્થિતિ તો એ છે કે આ બાજુની દેહાતી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy