SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ હતા ત્યારે અમે રાણીખેતની ભાગોળે પહોંચ્યા. આ ચૌપટિયાથી રાણીખેત સુધી કેડી ઉપરનો પગપાળા પ્રવાસ જાણે કે દોઢ-બે કલાક સુધી કોઈ એક મહાકાવ્ય માણ્યું ન હોય એવી મીઠી છાપ મારા મન ઉપર મૂકી ગયે. મનમાં એ વખતે એમ થયા કરતું કે આવા ઉન્નત પ્રદેશમાં, આવા ગીચ જંગલમાં પિતાના જ ચિન્તનમાં ડૂબેલા રહીને ન કોઈ બોલાવે કે ચલાવે એ રીતે આથમતા કે ઊગતા સૂર્યના આછા પ્રકાશમાં અથવા તે આકાશમાં આરૂઢ થયેલા ચંદ્રની ધવલ રેશનીમાં યથેપણે ચાલ્યા જ કરવાનું હોય તો કેવી મજા આવે છે આમ ચીપટિયા બાજુના પરિભ્રમણના કારણે અમારું રાણીખેત આવવું સફળ થયું એમ લાગ્યું. તાડી ખેત બીજે દિવસે સવારે કેન્ટોન્મેન્ટના ચઢાણ.ઉતરાણવાળા રાજમાર્ગ ઉપર અમે કેટલુંક ફર્યા. બપોરે બાર વાગ્યાની બસમાં અમે તાડી ખેત જવા નીકળ્યા. જેમ ચૌપટિયા રાણીખેતથી પાંચ માઈલ દૂર અને એક હજાર ફીટની ઊંચાઈએ હતું, એવી જ રીતે તાડીખેત દશ-અગિયાર માઈલ દૂર અને લગભગ એક હજાર ફીટ નચાણમાં નૈનીતાલ જવાના રસ્તા ઉપર આવેલું છે. અહીંથી થોડે દૂર જતાં રામનગર જવાને રસ્તો ફંટાય છે. રાણીખેત આવતાં તારીખે અમે પસાર કરેલું અને ત્યાં નેશનલ કેડેટ કોર–એન. સી. સી–નો મોટો પડાવ જોયેલો. તાડી ખેત જવા માટે બીજો પણ આકર્ષણ હતાં. અહીં ૧૯ર૯ની સાલમાં જૂન માસની ૨૧મી તારીખે ગાંધીજી આવેલા અને બે દિવસ રહેલા. ગાંધીજીના ભત્રીજા શ્રી પ્રભુદાસ ગાંધી, જેમનું લખેલું ‘જીવનપરેઢ ગાંધી સાહિત્યમાં એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેઓ તથા ગાંધીજીના બીજા સહાકાર્યકર્તા ઘણું ખરું તબિયત સુધારવાના હેતુથી કેટલાક સમયથી અહીં રહેતા હતા. ગાંધીજી આભેરાથી રાણીખેત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy