SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ કરતી રહી છે. ઉપરની કથાઓ અને કિંવદન્તીઓને આ રીતે સમજવી અને સ્વીકારવી તે વધારે સયુક્તિક લાગે છે. નૈનીતાલને પ્રાચીન ઇતિહાસ નૈનીતાલ સંબંધે જૂનામાં જૂનો ઉલ્લેખ આપણને અલ્હાબાદના કિલ્લામાં આવેલ અશોકસ્તંભ (ચોથો સકે) ઉપરના સમ્રાટ સમુદ્રગુપ્તના શિલાલેખોમાં મળે છે. તેમાં કુમાઉમાં મહા કસ્તુરી સામ્રાજ્ય હોવાનું જણાવવામાં આવેલ છે. આગળ ઉપર આ સામ્રાજ્યનું પતન થયું અને પછી કુમાંઉ, તરાઈ અને ભાબર–આ પ્રદેશ ચંદવંશના પરંપરાથી કહેવાતા–સ્થાપક અને અલ્હાબાદ પાસે આવેલ જીસીના ચંદવંશી રજપૂત સોમચંદને દાયજામાં મળ્યા હોવાનો ઉલ્લેખ મળે છે. કુમાંઉમાં આવેલ જૂની રાજધાની ચંપાવત દ્વારા ચંદવશનું ચોતરફ શાસન ફેલાયું અને નૈનીતાલ આસપાસને પ્રદેશ પણ તેના કબજા નીચે આવ્યો. ૧૩મી સદીમાં પોતાની સરહદનું રક્ષણ કરવા માટે ત્રિલોકચંદે ભીમતાલ પાસે એક કિલ્લો બંધાવ્યો અને ૧૫મી સદીના અંત ભાગમાં કિરતચંદે નૈનીતાલને પિતાના રાજ્યમાં જોડી દીધું. ૧૮મી સદીમાં ચંદ રાજાઓને ગઢવાલ સામે ચાલુ લડવું પડેલું. રાજા દીપચંદ ધાર્મિક વૃત્તિનો હેઈને તેણે ભીમતાલનું ભીમેશ્વરમંદિર બંધાવ્યું. ૧૭૯માં ત્યાં ગુરખાઓનું રાજ્ય સ્થપાયું. ૧૮૧૪માં ઇસ્ટ ઇન્ડીઆ કંપનીનું આ બાજુ ધ્યાન ખેંચાયું. ૧૮૧૫માં તેણે ગુરખાઓ સામે લડાઈ જાહેર કરી અને તે સાલની આખરમાં કુમાઉના પ્રદેશ ઉપર કંપની સરકારની સત્તા સ્થાપિત કરી. નિનીતાલની શોધ ગુરખાઓ સાથે અંગ્રેજોની લડાઈ ચાલતી હતી તે દરમિયાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy